નાણાંકીય વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિક (એપ્રિલ-જૂન)ના GDP આંકડાઓને લઇને સરકાર એક વાર ફરી વિપક્ષના નિશાન પર આવી છે. જૂન ત્રિમાસિકના GDPમાં 23.9 ટકાનો ભારે ઘટાડો જોવા મળ્યો છે. સરકાર તરફથી મુખ્ય આર્થિક સલાહકાર (CEA) કેવી સુબ્રમણ્યમે આ અંગેનો જવાબ આપ્યો છે કે કેમ ઘટાડો થયો?
આ છે સરકારી આંકડા
ઉલ્લેખનીય છે કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પલિમેન્શન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ કોરોના સંકટના કારણે એપ્રિલથી જૂનના આ નાણાંકીય વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિકમાં GDPમાં 23.9 ટકાનો ઐતિહાસિક ઘટાડો આવ્યો છે.
શું કહ્યું કેવી સુબ્રમણ્યમે
GDPમાં ઐતિહાસિક ઘટાડા પર કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે કહ્યું કે આ અનુમાન મુજબ છે, કેમ કે એપ્રિલ-જૂન દરમિયાન લોકડાઉન હતું. સુબ્રમણ્યમે કહ્યું કે બીજા અને ત્રીજા ત્રિમાસિકમાં વિકાસમાં ગતિ આવશે અને ભારતની અર્થવ્યવસ્થામાં 'V' શેપ ફરી રિકવરી કરશે.
ભારતે ત્રિમાસિક GDPના આંકડા જ્યારથી જાહેર કરવાના શરૂ કર્યાં ત્યારથી અત્યાર સુધીમાનો આ સૌથી મોટો ઘટાડો છે. આ અગાઉ જો GDP નેગેટિવની વાત કરીએ તો આ 1979-80માં જોવા મળી હતી, જ્યારે વાર્ષિક જીડીપીમાં 5.2 ટકાનો ઘટાડો થયો હતો.
શું છે કારણ
કેવી સુબ્રમણ્યમે કહ્યું, દેશમાં બે મહિના સુધી કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેના કારણે GDPમાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો. સુબ્રમણ્યમે આગળ કહ્યું કે હવે કોર સેકટરમાં સુધાર થયો છે. વીજળી વપરાશ વધ્યો, તેની સિવાય માલગાડી ટ્રેફિકમાં ગતિ આવી છે, ઇ-વે બિલ વધ્યું છે. આ એવા સંકેત છે જેનાથી સ્પષ્ટ થાય છે કે આર્થિક ગતિવિધિઓમાં સુધાર થઇ રહ્યો છે.