ચિત્રકુટ સામૂહિક દુષ્કર્મના કેસમાં પૂર્વ ખનન મંત્રી ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ સહિત કુલ 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સાથેજ દરેક આરોપીને 2-2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
પૂર્વ ખનન મંત્રી ગાયત્રી પ્રજાપતિ સહિત 3ને આજીવન કેદ
દરેક આરોપીઓને 2-2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો
લખનૌના ચિત્રકુટમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મના બનાવને લઈને ગાયત્રી પ્રસાદ પ્રજાપતિને આજીવન કેદની સજા આપી છે. આપને જણાવી દઈએ કે ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ સમાજવાદી પાર્ટીમાં પહેલા ખનન મંત્રી રહી ચુક્યા છે. તેમની સાખે અન્ય ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સાથેજ 2-2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
સગીરાની માતાએ નોંધાવી હતી ફરિયાદ
સમગ્ર મામલે ગાયક્ષી પ્રસાદ, અશોક તિવારી અને આશીષ શુક્લાને આજીવન કેદની સજા આપવામાં આવી છે. જેઓ સામૂહિક દુષ્કર્મ મામલે દોષી સાબિત થયા છે. ચિત્રકુટની એક મહિલાએ તેની પુત્રી સાથે સામૂહિક દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો. જેને લઈને પૂર્ન ખનન મંત્રીને હાલ આજીવન કેદની સજા ફટકારવામાં આી છે.
ફરિયાદ નોંધાયા બાદ પરિવારને મળી હતી ધાકધમકી
મહિલાના કહેવા પ્રમાણે તે ગાયત્રી પ્રજાપતિને મળવા માટે તેના ઘરે ગઈઆ હતી તે સમયે આરોપીઓએ મહિલાને કેફી દ્રવ્ય પીવડાવીને બેભાન કરી નાખી બાદમાં તેની સગીર પુત્રી સાથે મંત્રી સહિત તેના સાથીઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. સાથેજ મહિલાએ એવું પણ કહ્યું જ્યારે તેણે ફરિયાદ નોંધાવી હતી ત્યારે આરોપીઓએ તેને ઘાક ધમકી પણ આપી હતી.
સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ફરિયાદ નોંધાઈ હતી
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સગીરાના પરિવારને ફરિયાદ કરવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવો પડ્યો હતો. સુપ્રીમ કોર્ટની ફટાર બાદ મંત્રી અને તેના સાથીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેથી ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલ ભેગા કરવામાં આવ્યા હતા.