એક દિવસ બાદ ઘરમાં લગ્નનો પ્રસંગ અને ચારે તરફ કોરોના વાયરસના કહેરની વાતો આવા સમયે શું કરવું તે અંગે પ્રશ્ન ઉભો થાય ત્યારે મુંબઇના એક દીકરા-દીકરીના પરિવારજનોએ લગ્નમાં આવનાર લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને લગ્ન સમારંભ મુલતવી રાખ્યો હતો.
મુંબઇના પરિવારજનોની અનોખી પહેલ
કોરોનાની અસરને પગલે લગ્ન સમારંભ રાખ્યો મુલતવી
મહેમાનોના સ્વાસ્થ્યની કરી ચિંતા
પ્રાપ્ત થતી વિગત અનુસાર, મુંબઇના ગાવડે અને પાલકર પરિવારને આંગણે 19 માર્ચ 2020ની તૈયારીઓમાં મગ્ન હતા કારણ કે, આંગણે લગ્નનો પ્રસંગ હતો, લગ્નની તારીખો પણ નક્કી થઈ ચૂકી હતી અને મહેમાનોને આમંત્રણ પત્રિકા પણ અપાઇ ચૂકી છે ત્યાં લગ્નના એક દિવસ અગાઉ બંન્ને પરિવારજનોએ સાવધાનીમાં જ સુરક્ષા છે તે મંત્રને સ્વીકારીને લગ્ન મુલતલી રાખવાનો નિર્ણય કર્યો હતો. તેમના આ નિર્ણયે સમાજમાં એક નવો દાખલો પુરો પાડ્યો છે.
કંકોત્રી પણ વહેંચાઇ ચૂકી હતી અને લગ્ન રખાયા મોકૂફ
બુધવારે વિક્રોલીમાં ગાવડે પરિવારના ઘરે ગણેશ પૂજા અને હળદરની રસમ યોજાવાની હતી. મંડપ પણ શણગારવામાં આવ્યું હતું. કન્યાની માતા પ્રિયા ગાવડેએ જણાવ્યું હતું કે, "મંગળવારે અમારા બંને પરિવારોએ પરસ્પર સંમતિથી લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો. બધું તૈયાર છે. આમંત્રણકાર્ડ એક મહિના અગાઉથી વહેંચવામાં આવ્યા હતા. સંબંધીઓએ પણ ટિકિટ બુક કરાવી હતી. બધા મહેમાનો આજથી આવવાના હતા, કેટલાક પણ પહોંચ્યા છે. પણ અમે વિચાર્યું કે સાવધાનીને લીધે કોરોના વાયરસના જોખમનો સામનો કરી શકાય, તેથી જ અમે આ મોટો નિર્ણય લીધો. "
ડિસેમ્બરમાં થઇ હતી સગાઇ, જાન્યુઆરીથી લગ્નની કરાઇ રહી હતી તૈયારી
દીકરીના પિતા પાંડુરંગ ગાવડેએ કહ્યું, આ નિર્ણયને પગલે અમારે મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે પરંતુ લોકોની સુરક્ષા સૌથી અગત્યની છે. માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.