પૂર્વ ભારતીય ઓપનર સુનીલ ગવાસ્કરે ટીમ ઇન્ડિયાની ઓપનિંગ જોડીને લઇને મોટુ નિવેદન આપ્યું છે.
ગવાસ્કરે આપ્યુ ઓપનીંગ જોડીને લઇને નિવેદન
રોહીત અને ગિલ નહી આ બે ખેલાડીઓને ઉતારો
મેદાનમાં તરત જ ફરક દેખાશ, રોહીને આરામ આપો
WTC ફાઇનલમાં રોહીત શર્મા અને શુભમન ગીલની જોડીને સારી શરૂઆત આપવામાં નાકામ રહી હતી એવામાં સુનીલે મોટુ નિવેદન આપી દીધુ હતુ.
કેવી હોવી જોઇએ ઓપનીંગ જોડી
ગવાસ્કરે કહ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટનો ઓપનીંગમાં રોહીત સાથે મયંક કે શુભમનને ઉતારતા પહેલા મયંક અને ગિલની જોડીને ઉતારવી જોઇએ. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રોહીત અને ગિલની જોડી રમતી આવી છે પરંતુ હવે મયંક અને ગિલને ઓપનીંગમાં ઉતારવા જોઇએ.
મયંક અગ્રવાલે મારી હતી બમણી સદી
ગવાસ્કરે કહ્યું કે, મયંકે ભારત માટે સારુ કામ કર્યુ છે અને બમણી સદી ફટકારી છે. સારી વાત તે છે કે BCCI અને જય શાહે ઇંગ્લેન્ડ મૅચ પહેલા કેટલીક પ્રેક્ટિસ મૅચ કરાવવાની પહેલ કરી છે જેમાં તમે નક્કી કરી શકો છો કે ઓપનર કોણ હશે.
4 ઓગસ્ટથી ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ
ગવાસ્કરે કહ્યું કે, ગિલ અને અગ્રવાલ એક સાથે ઓપનીંગ કરે અને રોહીતને થોડો આરામ મળે. હવે જોવાનું તે રહે છે કે ગવાસ્કરની સલાહ પ્રમાણે ઓપનર્સ બદલાય છે કે રોહીત અને ગીલની જોડી જ ધૂમ મચાવશે.