ભારતના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરે કહ્યુ કે, મહેન્દ્ર સિંહ ધોની જે રીતે યુવા ખેલાડીઓની માંગ કરીને ભવિષ્ય માટે સારું વિચાર્યુ હતુ, તેવી જ રીતે તેના વિશે વ્યવહારિક નિર્ણય લેવાની જરૂર છે કેમકે યુવા ખેલાડીઓ રાહ જોઇ રહ્યા છે.
એવી અટકળો છો ધોની વર્લ્ડ કપમાં ભારત માટે છેલ્લી વનડે રમી ચૂક્યો છે. ભારતને સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે હરાવ્યુ હતુ. સિલેક્શન કમિટીની બેઠક રવિવારે થશે જેમાં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરવામાં આવશે. જેમાં પૂરુ ફોકસ ધોની પર રહેશે અને ગંભીરને માનવુ છે, પ્રેક્ટિકલી નિર્ણય લેવામાં આવે.
ગૌતમ ગંભીરે ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, ''ભવિષ્ય વિશે વિચારવુ જરૂરી છે. ધોની જ્યારે કેપ્ટન હતો ત્યારે ભવિષ્ય માટે જ વિચાર્યુ હતુ. મને યાદ છે કે ધોનીએ ઓસ્ટ્રેલિયામાં કહ્યુ હતું કે, હું, સચિન અને સેહવાગ ત્રણેય સીબી સીરિઝ નહી રમી શકીએ કેમકે મેદાન મોટા છે. ધોનીએ વર્લ્ડ કપ માટે યુવા ખેલાડીઓ માંગ્યા હતા. પ્રેક્ટિકલી નિર્ણય લેવાની જરૂર છે. યુવાનોને મૌકો આપવાની જરૂ છે પછી તે રિષભ પંત હોય, સંજૂ સૈમસન, ઇશાન કિશન કે પછી અન્ય કોઇ વિકેટકીપર. જેમાં પણ ક્ષમતા હોય, તેણે વિકેટકીપર બનાવવામાં આવે.''
ગંભીરે કહ્યુ કે, ''યુવાનોને અત્યાર સુધી પર્યાપ્ત મૌકો નથી મળ્યો, જેથી તેઓ ભારત માટે સારું ફોર્મ નથી કરી શક્યા. તેમણે દોઢ વર્ષ સુધી મૌકો આપવામાં આવે તેમ છતાં જો સારુ પ્રદર્શન ના કરે તો તેમની જગ્યાએ બીજાને સ્થાન આપો. જેનાથી ખબર પડશે કે આગામી વર્લ્ડકપમાં વિકેટકીપર કોણ હશે.'' ક્રિકેટથી રાજનીતિમાં આવેલા ગંભીરે કહ્યુ કે, ધોની ટીમ ઇન્ડિયાનો સર્વશ્રેષ્ઠ કેપ્ટનમાંથી એક છે પરંતુ સફળતાનો સંપૂર્ણ શ્રેય તેને આપવો અને હાર માટે પણ તે જવાબદાર નથી. ધોની ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપ જીત્યા પરંતુ બીજા કેપ્ટન પણ ભારતને આગળ લઇ ગયા છે. અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડે આ કામ કર્યુ છે.''