તાજેતરમાં જ ઇંગ્લેન્ડ પ્રવાસમાં પહેલી ટેસ્ટ શતક લગાવનાર યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત વિજય હડારે ટ્રોફીમાં દિલ્હી તરફથી ત્રણ મેચમાં ભાગ લેશે. વિજય હજારે ટ્રોફીનું આયોજન 19 સપ્ટેમ્બરે કરવામાં આવશે. 15 સભ્ય ટીમની કેપ્ટની ગૌતમ ગંભીર કરશે જેને એક વર્ષ બાદ કમાન સોંપવામાં આવી છે.
જો કે અનુભવી ફાસ્ટ બોલર ઇશાંત શર્માને ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ આરામ આપવામાં આવ્યો છે. પાંચમી ટેસ્ટના ચોથા દિવસે પગની ઘૂંટીમાં ઇજા પહોંચી હતી. પંતની આગેવાનીમાં ગત વર્ષે દિલ્હી ટીમ રણજી ટ્રોફીની ફાઇલમાં પહોંચી હતી.
પંતનું 4 ઓક્ટોબરથી વિંડીઝની વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં રમવાનું નક્કી માનવામાં આવતું હોવાથી કેપ્ટની સોંપવામાં આવી નથી. આ ઉપરાંત ધ્રૃવ શૌરીએ પણ ઇન્ડિયા એ ટીમની સાથે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર જવાની શક્યતા છે. પસંદગી સમિતિએ એટલા માટે ગૌતમ ગંભીરના અનુભવને પ્રાથમિકતા આપી.
જણાવી દઇએ કે ગૌતમ ગંભીરને 2016-17માં વિજય હજારે ટ્રોફી દરમિયાન કેપ્ટની પદથી હટાવવામાં આવ્યો હતો. ગત વર્ષે એને કેપ્ટનની જવાબદારી લેવાની ના પાડી દીધી હતી ત્યારબાદ ફાસ્ટ બોલર ઇશાંત શર્માને કમાન સોંપવામાં આવી હતી.