ભારતીય ટીમના પૂર્વ ઓપનર અને પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ ગૌતમ ગંભીર કોરોના વાયરસ મહામારીની જંગમાં પોતાનું યોગદાન આપવા આગળ આવ્યા છે. 2007 ટી-20 વર્લ્ડ કપ અને 2011 વલ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતના હીરો ગૌતમ ગંભીરએ આ જીવલેણ વાયરસ સામે લડવામાં દાન આપવાની ઘોષણા કરી છે.
આ જીવલેણ બીમારીનો પ્રકોપ એટલો વધી ગયો છે કે વિશ્વભરમાં 47,000થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ભારતમાં 64થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગૌતમ ગંભીરએ ગુરુવારે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પીએમ રિલીફ ફંડમાં દાન આપવાની ઘોષણા કરી છે.
People ask what can their country do for them. The real question is what can you do for your country?
ગૌતમ ગંભીરએ ટ્વીટ કર્યું, 'લોકો પૂછે છે કે તમારો દેશ તમારા માટે શું કરી શકે છે? જ્યારે અસલી સવાલ એ છે કે, તમે તમારા દેશ માટે શું કરી શકો છો? હું મારો બે વર્ષનો પગાર પીએમ રિલીફ ફંડમાં દાન કરું છું, તમે પણ આગળ આવો.
It is time that all resources of the country be directed towards fighting COVID-19. Have released INR 1 Crore from my MP LAD fund towards relief efforts. Have also donated one month's salary towards the Central Relief Fund.
તમને જણાવી દઇએ કે, આજની તારીખ એટલે કે 2 એપ્રિલ એટલે ગૌતમ ગંભીરના જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. 9 વર્ષ પહેલા આજના જ દિવસે, ગૌતમ ગંભીરએ 2011 વર્લ્ડ કપની અંતિમ મેચમાં શ્રીલંકા સામે 97 રનની ઈનિંગ રમીને ભારતને 28 વર્ષ ચેમ્પિયન બનાવ્યું હતું.
ગંભીરએ અગાઉ કહ્યું હતું કે, લોકડાઉનને કારણે પરેશાની ભોગવી રહેલાં લોકો માટે તેની ગૌતમ ગંભીર ફાઉન્ડેશન ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ખાવાની સુવિધા પૂરી પાડી રહી છે. આ અંતર્ગત ગંભીર તેના મત વિસ્તારના ગરીબ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરી રહ્યો છે.