ગૌતમ ગંભીરે એશિયા કપમાં શ્રીલંકા સામે મેચ માટે યુઝવેન્દ્ર ચાહલને ટીમમાંથી બહાર કરીને આવેશ ખાનને ફરી તક આપવાની સલાહ આપી છે.
ગૌતમ ગંભીરે યુઝવેન્દ્ર ચહલને ટીમમાંથી બહાર કરવાની આપી સલાહ
ચહલની જગ્યાએ આવેશ ખાનને ફરી તક આપવાની કરી વાત
રવિ બિશ્નોઈને ટીમમાં રાખવાની ગંભીરે આપી સલાહ
ભારતના પૂર્વ ધુરંધર ઓપનર ગૌતમ ગંભીર પોતાના નિવેદનોને લીધે ચર્ચામાં રહે છે. તેઓ સમય સમય પર ભારતીય ટીમ મેનેજમેન્ટણે સલાહ અને સુજાવ પણ આપતા રહે છે. તેમણે હવે સલાહ આપી છે કે ભારતીય ટીમમાંથી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલણે બહાર કરી આવેશ ખાનને ફરી તક આપવી જોઈએ. તેમણે આ પાછળનું કારણ પણ જણાવ્યું છે. ભારતીય ટીમ એશિયા કપનાં સુપર ૪ રાઉન્ડના પોતાના પહેલા મુકાબલામાં પાકિસ્તાન સામે 5 વિકેટથી હારી ગઈ છે.
ગંભીરે આપી સલાહ
ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે શ્રીલંકા સામે એશિયા કપનાં મહત્વપૂર્ણ મુકાબલા પહેલા ટીમ ઇન્ડિયાણે સલાહ આપી છે. ગંભીરે કહ્યું છે કે એશિયા કપનાં સુપર ૪ રાઉન્ડનાં બીજા મેચમાં ભારતે પ્લેઇંગ 11માં ફેરફાર કરવો જોઈએ. ગંભીરે કહ્યું કે ટીમમાં યુઝવેન્દ્ર ચહલણે બદલે આવેશ ખાનને ફરી તક આપવી યોગ્ય ગણાશે. તેમણે સાથે જ રવિ બિશ્નોઈને ટીમમાં રાખવાની સલાહ આપી.
આવેશ ખાનને સપોર્ટ
ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ગૌતમ ગંભીરે કહ્યું કકે યુઝવેન્દ્ર ચહલે આ ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન નથી કર્યું. તેમની જગ્યાએ પેસર આવેશ ખાનની ટીમમાં વાપસી થવી જોઈએ. આવેશે રવિ બિશ્નોઈ સાથે રમવું જોઈએ.
આવેશ ખાન ફીટ ન હોવાને કારણે પાકિસ્તાન સામે છેલ્લી મેચમાં રમ્યા ન હતા. જ્યારે યુવા સ્પિનર રવિ બિશ્નોઈએ ૨૬ રન આપીને 1 વિકેટ લીધી હતી. બિશ્નોઈએ પોતાની પહેલી જ ટી૨૦ મેચમાં પાકિસ્તાનનાં કેપ્ટન બાબર આઝમને શિકાર બનાવ્યા હતા.
હવે હાર્યા તો ખેલ ખતમ
એશિયા કપ 2022માં ભારતીય ટીમે લીગ ચરણનાં પોતાના બંને મુકાબલાઓ જીત્યા. પહેલી મેચમાં જ્યાં પાકિસ્તાનને હરાવ્યું તો હોંગકોંગણે બીજી મેચમાં હરાવ્યું. સતત બે મેચ જીતીને સુપર ૪ રાઉન્ડમાં પહોંચેલ ટીમ ઇન્ડીયાએ પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો. ભારતે હવે શ્રીલંકા અને અફઘાનિસ્તાન બંને સામે મુકાબલાઓ રમવા પફ્શે. ફાઈનલમાં પહોંચવા માટે ભારતે બંને મેચમાં જીત મેળવવી પડશે.