દેશના મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું કહેવું છે કે ભારતમાં વિશ્વાસ રાખીને રોકાણ કરવાનો આનાથી સારો સમય કોઈ નથી. તેમણે કહ્યું કે આર્થિક વિકાસમાં તાજેતરના ઘટાડા છતાં ભારત વિશ્વનું મોટું ગ્રાહકોનું કેન્દ્ર બનશે.
ગૌતમ અદાણીના કહેવા પ્રમાણે, આગામી કેટલાક દાયકાઓ સુધી, ભારત વિશ્વના ઉત્પાદન અને સેવાઓનું વિશ્વનું મુખ્ય કેન્દ્ર રહેશે. તેમણે કહ્યું કે કોરોનાને કારણે સર્જાયેલા સંકટ વચ્ચે ભારતે સારુ કામ કર્યું છે. તે જ સમયે, વધુ સંસાધનોવાળા દેશોએ સંઘર્ષ કરવો પડ્યો છે.
અદાણીએ કહ્યું: આ વાયરસ સાથેની લડત હજી પૂરી થઈ નથી
ભારતનો આર્થિક વિકાસ દર પાછલા નાણાકીય વર્ષ 2019-20માં ઘટીને 4.2 ટકા થઈ ગયો છે, જે લગભગ એક દાયકાની તેની સૌથી નીચી સપાટી છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ સાથે ભારતીય રિઝર્વ બેંકે પણ આગાહી કરી છે કે કોરોના વાયરસને કારણે લાગુ લોકડાઉનને કારણે દેશના આર્થિક વિકાસ દર વર્તમાન નાણાકીય વર્ષમાં હજુ ઘટશે. અદાણી ગેસ લિમિટેડના વાર્ષિક અહેવાલમાં અદાણીએ કહ્યું કે આપણે સમજવું જોઈએ કે કોઈ પણ વિચાર સંપૂર્ણપણે સાચો કે ખોટો હોઈ શકે નહીં. આ સંકટ સમયે, જરૂરિયાત એવી સરકારની છે કે જે ઉપલબ્ધ માહિતીના આધારે નિર્ણય લઈ શકે. ઉપરાંત, જ્યારે નવી માહિતી આવે છે, ત્યારે તેને અનુરૂપ પોતાને અને દેશને ઢાળી શકે.
અદાણીએ કહ્યું કે આ વાયરસ સાથેની લડત હજી પૂરી થઈ નથી, પરંતુ મને એમ કહેવામાં કોઈ ખચકાટ નથી કે જે નિર્ણ યો લેવામાં આવ્યા છે, જો તેમાં વિલંબ કરવામાં આવ્યો તો આજે આપણી સામે એક મોટી આપત્તિ ઉભી હોત, જે માત્ર ભારત જ નહીં પરંતુ તે આખા વિશ્વને અસર કરત.
દેશમાં સૌએ એકબીજાને સમર્થન આપ્યું જે પ્રશંસનીય છે
અદાણીએ કહ્યું કે આ કટોકટીના સમય દરમિયાન દેશના નેતાઓ, ડોકટરો, આરોગ્ય સેવા કર્મીઓ, પોલીસ, સૈન્ય, ફેરિયાઓઓ અને નાગરિકોએ એકબીજાને ટેકો આપ્યો છે જે પ્રશંસનીય છે. ગૌતમ અદાણી અદાણી જૂથના વડા છે, જે દેશનું અગ્રણી ઉદ્યોગ સંગઠન છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનું આ જૂથ બંદરથી વીજ ક્ષેત્ર સુધી ઘણા સેક્ટર્સમાં કાર્યરત છે. અદાણીએ કહ્યું કે આ રોગચાળાને કારણે ધંધાને ખરાબ અસર થઈ છે. જીવન અને નોકરીઓ પર સંકટ છે. પરપ્રાંતિય મજૂરોના સંકટને કારણે આખો દેશ દુ:ખી છે પરંતુ સ્થિતિ આના કરતા પણ વધુ ખરાબ થઇ શકી હોટ જેના બદલે અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે.