અદાણી ગ્રુપ દ્વારા રૂ. 60,000 કરોડ જેટલી જંગી રકમના દાનની જાહેરાત કરવામાં આવી છે.
આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે રૂપિયા વપરાશે
દાનની રકમનો ઉપયોગ અને સંચાલન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરાશે
અદાણી પરિવારે પરોપકાર પ્રત્યેની પ્રતિબદ્ધતા દાખવી
દિગ્ગજ બિઝનેસમેન અને દેશના ટોચના બિઝનેશ ગ્રુપ અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીએ માતબાર રકમના દાનની જાહેરાત કરી છે. ગૌતમ અદાણીના 60 માં જન્મદિવસ અને પિતા શાંતિલાલ અદાણીની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા માટે રૂ. 60,000 કરોડ જેટલી જંગી રકમના દાનની જાહેરાત કરી છે. આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસએ આજના સમયની આગવી જરૂરિયાત છે. જેમાં રહેલી ખામીને પગલે ધર્યા પરિણામો ન મળતા અદાણી પરિવારે દેશીની જરૂરિયાતોને ધ્યાને લઇને દાન આપવાની દીશામાં નિર્ણય કર્યો છે. દાનની રકમનો ઉપયોગ અને સંચાલન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે.
On our father’s 100thbirth anniversary & my 60thbirthday, Adani Family is gratified to commit Rs 60,000 cr in charity towards healthcare, edu & skill-dev across India. Contribution to help build an equitable, future-ready India. @AdaniFoundationpic.twitter.com/7elayv3Cvk
ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સંબંધી સખાવતી પ્રવૃત્તિઓ કરાશે
ગૌતમ અદાણીનો 60 મો જન્મદિવસ અને તેમની પ્રેરણાના અખૂટ સમુદ્ર સમાન તેમના પિતા શાંતિલાલ અદાણીની 100મી જન્મ જયંતિનું વર્ષ છે. ત્યારે આ અવસરે અદાણી પરિવારે પરોપકાર પ્રત્યેની પ્રતિબદ્ધતા દાખવી છે. અને 60 હજાર કરોડનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સંબંધી સખાવતી પ્રવૃત્તિઓ માટે રૂપિયા વાપરવામાં આવશે.અદાણી પરિવારનું આ યોગદાન આગામી સમયમાં દેશ માટે મહત્વનું સાબિત થશે. જેને લઇને ગૌતમ અદાણીની આ જાહેરાતને આગ્રણી ઉદ્યોગકારો સામાજિક આગેવાનો સહિત ચારેકોરથી આવકાર મળી રહ્યો છે અને તેમની પરોપકારની ભાવનને બિરદાવવામાં આવી રહી છે.
ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં પાંચમા ક્રમે
અદાણી ફાઉન્ડેશન આજે ભારતના 2409 ગામોમાં 37 લાખથી વધુ લોકોને આવરી લઇને કામ કરી રહ્યું છે. ગત એપ્રિલ માસમાં જાહેર કરાયેલ આંકડા મુજબ આ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની ફોર્બ્સની યાદીમાં પાંચમા ક્રમાંકે આવી ગયા છે. અદાણીની કુલ નેટવર્થ 123.1 અરબ ડૉલર હોવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. તેઓએ Berkshire Hathaway ના વૉરેન બફેટને પણ પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. એટલે કે, વૉરેન બફેટ 121.7 અરબ ડૉલરની કુલ અંદાજિત નેટવર્થ સાથે હવે છઠ્ઠા સ્થાને આવી ગયા છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફોર્બ્સની દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં આઠમા ક્રમાંકે છે. આ રીતે, વિશ્વના 10 સૌથી અમીર લોકોમાં બે ભારતીયોનો સમાવેશ થાય છે. અંબાણીની કુલ નેટ વર્થ (મુકેશ અંબાણી નેટવર્થ) 103.70 અરબ ડૉલર આંકવામાં આવી હતી.