સેબી અને ડીઆરઆઈ આ કંપનીઓની તપાસ કરી રહી છે. આ સમાચારથી ફરી અદાણીની કંપનીઓના શેરમાં ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે.
6માંથી 4 કંપનીઓમાં લાગ્યુ લોઅર સર્કિટ
અદાણીની કંપનીઓના શેરમાં ઘટાડો
શેરની કિંમતોમાં છેડછાડની તપાસ
ગૌતમ અદાણીની સમસ્યા ઓછી થવાનુ નામ નથી લઈ રહી. થોડાક સમય પહેલા સમાચાર હતા કે કેટલાક એફપીઆઈ અકાઉન્ટ ફ્રીજ કરવામાં આવ્યા છે. જેમણે અદાણીની કંપનીઓમાં મોટુ રોકાણ કર્યુ છે. તે સમાચાર બાદ અનેક દિવસો સુધી સતત ગૌતમ અદાણીની કંપનીઓના શેર ઘટતા જોવા મળી રહ્યા છે.
અદાણીની કંપનીઓના શેરમાં ઘટાડો
હજુ તેમની કંપનીના શેરની સ્થિતિ જરાક સારી થઈ જ હતી ત્યાં ઈડી તરફથી આ કંપનીઓની તપાસ કરવાના સમાચાર આવ્યા છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે ઈડી નહીં પણ સેબી અને ડીઆરઆઈ આ કંપનીઓની તપાસ કરી રહી છે. આ સમાચાર બાદ ફરી અદાણીની કંપનીઓના શેરમાં ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે.
6માંથી 4 કંપનીઓમાં લાગ્યુ લોઅર સર્કિટ
મંગળવારે શર બજાર ખૂલતા જ અદાણીના 6માંથી 3 કંપનીઓમાં લોઅર સર્કિટ લાગ્યુ છે. કેટલીક મિનિટો બાદ એક કંપનીએ લોઅર સર્કિટને ટચ કર્યુ તો બાકીની બે કંપનીમાં પણ ઘટાડો ચાલુ છે. મંગળવારે બજાર ખુલતાની સાથે અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અદાણી ગ્રીનના શેરોમાં લોઅર સર્કિટ લાગ્યુ અને થોડી વાર બાદ અદાણી પાવરે પણ લોઅર સર્કિટને ટચ કર્યુ.
આ કારણે શેરના ભાવ ઘટ્યા
ભારે ઘટાડાનું કારણ એનએસડીએલ તરફથી કરવામાં આવેલી કાર્યવાહી છે. NSDL એ ત્રણ વિદેશી ફંડ્સ અને એપીએમએસ ઈન્વેસ્ટમેન્ટ ફંડના અકાઉન્ટને ફ્રીઝ કર્યા છે. જોકે અદાણીએ આ વાતને ખોટી ગણાવી છે.
શેરની કિંમતોમાં છેડછાડની તપાસ
કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટરે 2019માં એફપીઆઈ માટે કેવાઈસી ડોક્યુમેન્ટેશનને પીએમએલએ મુજબ કરી દીધા હતા. ફંડ્સને 2020 સુધીના નવા નિયમોનું પાલન કરવાનો સમય આપ્યો હતો. સેબીનું કહેવું છે કે નવા નિયમોનું પાલન નહીં કરનારા ફંડ્સના અકાઉન્ટ ફ્રીજ કરી દેવામાં આવશે. નવા નિયમો મુજબ એફપીઆઈને કેટલીક વધારાની જાણકારી આપવાની હતી. જેમાં કોમન ઓનરશિપનો ખુલાસો અને ફંડ મેનેજમેન્ટ જેવા મહત્વના કર્મચારીઓની પર્સનલ ડિટેલ સામેલ હતી. મનાઈ રહ્યુ છે કે સેબી અદાણી ગ્રુપની કંપનીઓના શેરની price manipulation ની પણ તપાસ કરી રહ્યુ છે. ગત એક વર્ષમાં આ કંપનીઓના શેરોમાં 200થી 1000 ટકા સુધી ઉછાળો જોવા મળ્યો છે. મામલાના એક જાણકારનું કહેવું છે કે સેબીએ 2020માં આ મામલાની તપાસ શરુ કરી હતી જે હજુ ચાલુ છે. આ મામલામાં સેબીએ તેમને મોકલેલા સવાલોના જવાબ નથી આપ્યા.