ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણ કેસમાં પીડિતાએ મીડિયા સમક્ષ કેટલાક પુરાવા રજૂ કર્યા છે અને કહ્યું છે કે, જરૂરત પડ્યે હું રેકોર્ડિંગ સહિતના પુરાવાઓ પણ રજૂ કરીશ. જ્યારે પીડિતાએ ગૌરવ દહિયાના જીવનમાં ત્રીજી મહિલા એવું પણ જણાવ્યું છે.
સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણ કેસમાં પીડિતાએ ગૌરવ દહિયા પર ગંભીર આક્ષેપ લગાવ્યાં છે. પીડિતાએ કહ્યું કે, દહિયા સાચા છે તો પછી મારાથી ભાગી કેમ રહ્યા છે. જો હું ખોટી હોઉ તો બાળકીનો DNA ટેસ્ટ કરવામાં આવે. હું કોઈપણ સ્થિતિમાં દહિયાને છોડવા નહોતી માંગતી, પણ દહિયાના જીવનમાં ત્રીજી મહિલા પણ છે. દહિયા વિરુદ્ધ મેં તમામ પુરાવાઓ રજૂ કર્યા છે. દહિયાએ જે બ્લેકમેઈલના આક્ષેપ કર્યા છે તે ખોટા છે. જો મેં બ્લેકમેઈલ કર્યુ હોય તો મારી વિરુદ્ધ ફરિયાદ કેમ નથી કરતા.
આ સાથે પીડિતાએ સોશિયલ ચેટના પુરાવા પણ રજૂ કર્યા છે. જેમાં દહિયા તેને પોતાની પત્ની ગણાવી રહ્યો છે. પીડિતાએ કહ્યું કે, આ તો માત્ર 10 ટકા જ પુરાવા છે. રેકોર્ડિંગ સહિતના પુરાવાઓ હું યોગ્ય વ્યક્તિ સમક્ષ રજૂ કરીશ. મારા પર આક્ષેપ કરનારને હું છોડીશ નથી. સાથે પીડિતાએ ગૌરવ દહિયાએ તેને મારી નાખવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ કર્યો છે.
શું છે ગૌરવ દહિયા કથિત પ્રેમપ્રકરણ મામલો
ગુજરાત કેડરના IAS ગૌરવ દહિયાએ ફેસબુકમાં બનેલી દિલ્હીની એક ફ્રેન્ડ સાથે એક પત્ની હોવા છતાં બીજી પત્ની તરીકે લગ્ન કર્યા હતા. પ્રેમપ્રકરણમાં અચાનક કોઈ તકલીફ પડતાં બંને એકબીજા વિરૂદ્ધ ગુજરાત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ 2017માં ગૌરવ અને લિનુંને ફેસબુકમાં પ્રેમ થયો હતો અને પછી લગ્ન કર્યા હતા.
પ્રેમપ્રકરણનો કેસ હાઈપ્રોફાઈલ અને બહુચર્ચિત હોવાથી પોલીસે આ કેસ અંગે સીએમ રૂપાણીને જાણ કરી હતી. ત્યારબાદ રૂપાણીના આદેશથી ગુજરાત સરકારમાં ફરજ બજાવતાં 3 મહિલા IASની એક તપાસ કમિટીની રચના થઈ હતી જેમાં પીડિતાએ પોતાના નિવેદન આપ્યું હતું. ત્યારબાદ તપાસ કમિટીએ પણ ગૌરવને આરોપી સાબિત કર્યો હતો. મહિલા IAS સુનયના તોમરે રૂપાણીને આ અંગે રિપોર્ટ સોપ્યો હતો. જ્યારે ત્યારબાદ દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.