બોલીવૂડ એક્ટ્રેસ ગૌહર ખાન હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. પહેલા તેના પિતાનુ અવસાન અને હવે તેના વિરુદ્ધ ફરિયાદ. એક્ટ્રેસે ફરિયાદ વિરુદ્ધ મૌન તોડ્યુ છે.
કોરોના મામલે ગૌહરે તોડ્યુ મૌન
ફરિયાદ વિરુદ્ધ ટીમે આપ્યુ નિવેદન
ગૌહરની રિપોર્ટ બતાવીને કહ્યું નેગેટીવ છે
No Compromise On City’s Safety!
BMC has filed an FIR against a Bollywood actor for non-compliance to COVID19 guidelines on testing positive.
ગૌહર ખાન પર આરોપ હતો કે તેને કોરોના પોઝીટીવ હોવા છતાં શૂટિંગ કર્યુ અને જેના લીધે BMCએ તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. આ મામલે હવે ગૌહરની ટીમે એક નિવેદન આપ્યુ છે.
ટીમે સ્ટેટમેન્ટ આપતા કહ્યું કે, ગૌહર નિયમ સાથે ચાલનારી અને તેનુ પાલન કરનારી એક જવાબદાર નાગરિક છે. એવામાં તમને સૌને વિનંતી છે કે આ મામલાને વધારે નહી. તેમણે લોકોને ભરોસો અપાવ્યો છે અને કહ્યુ છે કે ગૌહર BMCના દરેક નિયમનુ પાલન કરે છે અને સહયોગ પણ આપી રહી છે.
આ દરમિયાન ગૌહરની ટીમે મીડિયાને અપીલ કરી કે તે આ મુદ્દાને અહીં જ છોડી દે. આવી પરિસ્થિતિમાં કે જ્યારે ગૌહરે હાલમાં જ તેના પિતાને ગુમાવ્યા છે ત્યારે તેની સાથે આ પ્રકારનુ વર્તન ન થવુ જોઇએ. તે આ સમયે દુઃખી છે અને પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે તેને એકલી મુકવી જોઇએ. ટીમ તરફથી ગૌહરનો રિપોર્ટ પણ બતાવવામાં આવ્યો છે જેમાં ગૌહર નેગેટીવ છે.
BMCએ દાખલ કરી હતી ફરિયાદ
BMCએ ગૌહર ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને કહ્યું હતુ કે ગૌહર કોરોના પોઝીટીવ છે તેમ છતાં શૂટિંગ કરે છે. તેણે કોરોના ગાઇડલાઇન્સનુ ઉલ્લંઘન કર્યુ છે. જ્યારે BMCના અધિકારીઓ ગૌહરના ઘરે ચૅક કરવા ગયા હતા ત્યારે ગૌહર ઘરે હતી નહી જેનથી તેમની શંકા હકીકતમાં ફેરવાઇ ગઇ હતી.