ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને ગોહર ખાને એવું ટ્વીટ કર્યું કે હવે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે. જુઓ આ ટ્વીટ
ધ કશ્મીર ફાઈલ્સને લઈને ગોહર ખાને કર્યું ટ્વીટ
લોકોએ કરી ટ્રોલ
ફિલ્મ જીતી રહી છે લોકોના દિલ
ધ કશ્મીર ફાઈલ્સને લઈને ગોહર ખાને કર્યું ટ્વીટ
એક્ટ્રેસ ગોહર ખાન એક ફેમસ સોશિયલ મીડિયા યૂઝર તરીકે ઓળખાય છે. તે અલગ અલગ સેલેબ્સ પર વિચાર શેર કરવાથી ક્યારેય અચકાતી નથી. જોકે આ વખતે તેમના વિચારોએ ખોટા પ્રકારે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે હાલમાં જ રિલીઝ થયેલ ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ' પર કટાક્ષ કર્યો છે. લોકો હવે તેની ક્લાસ લઇ રહ્યા છે.
શું લખે છે ગોહર આ ફિલ્મ પર?
If u don’t see the propaganda , ur soul is blind , deaf and dumb !
ગોહર ખાન ટ્વીટ કરીને વિવેક અગ્નિહોત્રીની ફિલ્મનું નામ ન લેતા પોસ્ટ શેર કરે છે. તે કહે છે કે જો લોકો અજેંડાને ઓળખવામાં અસફળ રહે છે તો તેઓ મૂંગા છે. ગોહર ટ્વીટ કરે છે કે જો તમે અજેંડા નથી જોઈ શકતા, તો તમારી આત્મા આંધળી, બહેરી અને મૂંગી છે. બસ પછી ટ્વીટને લઈને લોકોએ ગોહરને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું.
લોકોએ કરી ટ્રોલ
Evidence are we talking about ?
Here's Bitta Karate's video. I've shared it twice already today and will keep on sharing till people remember each n every line of that video. pic.twitter.com/gXgUvg1Kc0
This is so sad to see educated people like you declaring it as a propaganda... to all my fellow Muslim citizens who are in misconception that this movie is spreading hate towards them NOO .
Movie bs ek sachhai h jo itni kadwi h ki jhoothi lag ri , movie bs ye btane k liye h ki
Yes,
Mam you are right,
We have been seeing propaganda since 1947 and still seeing.
You are not saying anything different.
We believe in indian judiciary (just to say) but will not believe if things are not according us.
Wow haddd of propaganda.
ગોહર ખાનને આ ટ્વીટ બાદ યૂઝર્સનાં ગુસ્સાનો સામનો કરવો પડ્યો. એક યૂઝરે ચેતવણી આપતા કહ્યું કે જો આ ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મનાં સંબંધમાં છે, જેને તમે એક પ્રોપાગાંડાનાં રૂપમાં જુઓ છો, તો હું તરત જ તમને અનફોલો કરું છુ. એક અન્ય યૂઝરે ગોહર ખાનને શિસ્તબદ્ધતાથી કહ્યું કે તમારા જેવા શિક્ષિત લોકો આને પ્રોપાગાંડાનાં રૂપમાં ઘોષિત કરી રહ્યા છે એ જોવું ખૂબ જ દુખદ છે. મારા બધા સાથી મુસ્લિમ નાગરીકો માટે જેમને લાગે છે કે આ ફિલ્મ તેમના પ્રતિ ઘૃણા ફેલાવી રહી છે. આ મૂવી બસ માત્ર એક સત્ય છે, જે એટલું કડવું છે કે તે પણ અસત્ય જ લાગે છે, મૂવી બસ એ જાણવા માટે છે કે શું શું થયું હતું. એક યૂઝરકહે છે કે મોટા વિચારોવાળા ભણેલા ગણેલા વ્યક્તિ જે બીજા સમુદાયો માટે ઘૃણા નહી ફેલાવે, પરંતુ લોકોને જાણ હોવી જોઈએ કે પેઢીઓ કઈ વાતથી અજાણ હતી. એકે તો ત્યાં સુધી લખ્યું કે કશ્મીરી પંડિતોને લઈને યૂ આર ડેફ એંડ ડમ્બ એંડ બ્લાઈંડ આઈ થિંક. આટલું જોયા બાદ પણ આ બધું તમને પ્રોપાગાંડા લાગે છે.
ફિલ્મ જીતી રહી છે દર્શકોના દિલ
ફિલ્મ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વિવેક અનીહોત્રી આજકાલ પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. કશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ લોકોના દિલ જીતી રહી છે. લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ હવે વિવેક અગ્નિહોત્રીએ આ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ સરકાર તરફથી પણ સમર્થન મળ્યું છે.