ગાયને હિન્દુ ધર્મમાં માતા તરીકે માનવામાં આવે છે. બધા પશુઓમાં ગાયને સૌથી પવિત્ર માનવામાં આવે છે.શાસ્ત્રો અનુસાર, માન્યતા છે કે, ગાયના શરીર પર 33 કરોડ- દેવી-દેવતા વાસ કરે છે.જો કોઈ વ્યક્તિ નિયમિત ગાયની પૂજા કરે છે તો તે વ્યક્તિના જીવનમાં ક્યારે કોઈ સમસ્યા નથી આવતી. આવી વ્યક્તિ પર આવનારી તમામ સમસ્યાઓ ગાય પોતાના પર લઈ લે છે.
જાણો જ્યોતિષ અનુસાર ગાય સાથે જોડાયેલા કેટલાંક તથ્યો છે, જેના વિશે આપણે બધાએ જાણવું જરૂરી છે.
ઘરમાં જ્યારે પણ જમવાનું બનાવો ત્યારે રોજ પહેલી રોટલી ગાય માટે બનાવી અને ગાયને ખવડાવી.
ઘરના બધા શુભ કાર્ય માટે ગાયને અવશ્ય સામેલ કરો એટલે કે કોઈ પણ સારા કામમાં ગાય માટે પણ થોડો ભાગ નીકાળવો.
જો કોઈ વ્યક્તિ ગાયની પૂજા રોજ કરે તો તેના નવ ગ્રહો શાંત રહે છે.
જો તમારા બાળકો તમારું સાંભળતા ન હોય તો ગાયને ભોજન બાળકોના હાથથી કરાવવું અથવા ગાય માટે ગાય માટે કાઢવામાં આવેલા ભોજનમાં તેનો હાથ લગાડવો.
સમગ્ર પરિવાર સહિત મહિનામાં એકવખત ગૌશાળામાં જવાનો નિયમ બનાવો.
ગરમીના દિવસોમાં ગાય માટે પાણી અવશ્ય રાખવું.
શિયાળાના દિવસોમાં ગાયને ગોળ ખવડાવાથી ગાય પ્રસન્ન થાય છે.
ગાય પાસેથી પ્રાપ્ત થતા પંચગવ્ય વગર કોઈ પણ માંગલિક કામ નથી થતું કોઈ પણ નાની પૂજા હોય કે હવન હોય પંચગવ્ય વગર પૂજાનું ફળ પ્રાપ્ત નથી થતું.
ગાયના પંચગવ્ય થી કોઈ પણ રોગનું નિવારણ થઈ જાય છે, પંચગવ્યનું સેવન કરવાથી કેટલાંક અસાધ્ય રોગમાંથી પણ છૂટકારો મળે છે.