કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે.
માસ્ક વગર પકડાયા તો 200 રુપિયાને બદલે 500 રુપિયાનો દંડ
જાહેર સ્થળોએ થૂંકતા પકડાયા તો 1000 રુપિયાનો દંડ
5 કરતા વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ, ભંગના કિસ્સામાં 1000 રુપિયાનો દંડ
નવી ગાઈડલાઈન અનુસાર, હવે મહારાષ્ટ્રમાં માસ્ક ન પહેરનાર લોકોએ 200 રુપિયાને બદલે 500 રુપિયા દંડ ચુકવવો પડશે. તે ઉપરાંત રસ્તા પર થૂકતા પકડાયા તો 1000 રુપિયાનો દંડ ભરવો પડશે. 27 માર્ચથી રાતના 8 થી સવારના 7 સુધી 5 કરતા વધારે લોકો એકીસાથે નહીં ફરી શકે.
નવી ગાઈડલાઈનમાં એવું પણ જણાવાયું છે કે તમામ જાહેર સ્થળો રાતના 8 વાગ્યાથી સવારના 7 સુધી બંધ રાખવા પડશે. જો 5 કરતા વધારે લોકો ભેગા થયા તો 1 હજારનો દંડ લાગશે. અંતિમ સંસ્કારમાં 20 કરતા વધારે લોકો નહીં જઈ શકે તથા લગ્નમાં વધારેમાં વધારે 50 લોકો જ ભાગ લઈ શકશે.
ઓફિસોએ 50 ટકા સ્ટાફથી કામ ચલાવવું પડશે
મહારાષ્ટ્ર સરકારે ઓફિસોને 50 ટકા સ્ટાફની જ મંજૂરી આપી છે. તમામ સિંગલ સ્ક્રિન અને મલ્ટીપ્લેક્સ, મોલ્સ, રેસ્ટોરન્ટ, ઓડિટોરીયમને રાતના 8 થી સવારના 7 સુધી બંધ રાખવા પડશે. જો ઉલ્લંઘનના કેસમાં 1000 નો દંડ ભરવો પડશે. માસ્ક વગર ફરતા લોકો પાસેથી 500 રુપિયાનો દંડ વસૂલવામાં આવશે. જોકે સરકારે રાતે ફૂડ ડિલિવરીને મંજૂરી આપી છે. લોકો રાતે ઓનલાઈન ફૂડનો ઓર્ડર કરી શકશે.
કોરોનાની નવી ગાઈડલાઈન
- માસ્ક વગર પકડાયા તો રુ.500 નો દંડ
- જાહેર સ્થળોએ થૂંકતા પકડાયા તો રુ.1000 નો દંડ
- તમામ જાહેર સ્થળોએ રાતના 8 થી સવારના 7 સુધી બંધ રાખવા પડશે
- ઓફિસોએ ફક્ત 50 ટકા સ્ટાફથી કામ ચલાવવાનું રહેશે.
- તમામ પ્રકારના સામાજિક કાર્યક્રમો, મેળાવડા પર પ્રતિબંધ
કઈ છૂટછાટ મળી
- રાતના સમયે લોકો ઓનલાઈન ફૂડનો ઓર્ડર કરી શકશે
મહારાષ્ટ્રમાં કોરોનાની બેકાબૂ ગતિ બાદ રાજ્ય સરકાર અમલમાં આવી છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ 28 માર્ચથી સમગ્ર રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં કોરોના ચેપ સતત વધી રહ્યો છે. સીએમ ઉદ્ધવે લોકોને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી હતી પરંતુ કોરોના ચેપમાં કોઈ ઘટાડો થયો નથી. રાજ્યમાં સવારે 8 થી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.
મુખ્યમંત્રીએ આપી ચેતવણી
નોંધનીય છે કે, આજે મુખ્યમંત્રીએ તમામ જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ લોકડાઉનને બદલે નિયમો કડક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તેથી રાજ્ય સરકારે રવિવારની રાતથી નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો હતો. સીએમ ઉદ્ધવે પણ કોરોના નિયમોનું પાલન કરવાના આદેશો જારી કર્યા છે. મુખ્યમંત્રીએ ચેતવણી આપી છે કે જો દર્દીઓની સંખ્યા ઓછી નહીં થાય તો નિયમો વધુ કડક બનાવવામાં આવશે. તેમણે આદેશ આપ્યો કે મોલ્સ, બાર અને હોટલ માટે બનાવેલા નિયમોની યોગ્ય તપાસ થવી જોઈએ.