રાજકોટમાં આજે કોળી સમાજનું સંમેલન યોજાશે. આ સંમેલનમાં કોળી સમાજના ધારાસભ્યો પ્રમુખો અને અગ્રણીઓ હાજર રહેશે.
મળતી માહિતી અનુસાર રાજકોટમાં આવેલા હેમુ ગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્રના કોળી નેતાઓનુ સંમેલન યોજાશે. આ સંમેલનમાં કુંવરજી બાવળિયાની સામે કોંગ્રેસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.
કુંવરજી બાવળિયાએ છેડો ફાડતા કોંગ્રેસના તેવર બદલાયા છે. જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ સાથે સંમેલન કરવાના છે. આ સંમેલનમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ હાજર રહેશે.
આગામી લોકસભાની ચૂંટણી પહેલા કોળી વોટબેંકને અંકે કરવા કોંગ્રેસે કવાયત હાથધરી છે. ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયા કોંગ્રેસથી નારાજ હતા. જેને લઇને તેમણે જસદણના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ બાવળિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને ભાજપમાં જોડાયા હતા. ત્યારે કોંગ્રેસ દ્વારા કોળી સમાજના મતદારોને રિઝવવા કોંગ્રેસે રણનીતિ ઘડી છે.