વડોદરાના નંદેસરીમાં વધુ એક ગેસ ગળતરની ઘટના સામે આવી છે. જેમાં 9 કર્મચારીઓને ઝેરી ગેસની અસર થતા તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, નંદેસરીમાં આવેલી પાનોલી કંપનીમાં ગેસ ગળતર થતાં 9 કર્મચારીઓ તેની ઝપેટમાં આવી ગયા હતા.
જોકે 9 કર્મચારીઓમાંથી ત્રણ કર્મચારીઓ પર ઝેરી ગેસની ભારે અસર થઈ છે. એવી પણ આશંકા છે કે, કર્મચારીઓએ આંખોની રોશની ગુમાવી છે.
મહત્વનું છે કે, આ પહેલા પણ આ જ કંપનીમાં કેમિકલના કારણે ત્રણ કર્મચારીઓ દાઝી ગયા હતા. છતાં કંપનીના સંચાલકો દ્વારા કોઈ સાવચેતીના પગલા ન ભરવામાં આવ્યા. આ તેનું જ પરિણામ છે કે, ગેસ ગળતર થતા વધુ કર્મચારીઓ ઝેરી ગેસની ઝપેટમાં આવી ગયા છે.
અમદાવાદઃ આનંદ એસ્ટેટમાં બ્લાસ્ટ થતા 2 લોકોના થયા મોત
અમદાવાદના નારોલ ઈસનપુર હાઈવે પર આવેલી કોઝી હોટલની સામે આનંદ એસ્ટેટમાં ગેસ બ્લાસ્ટ થયો હતો. જેમાંમાં 2 લોકોના મોત થયા હતા.
ત્યારે અનેક સવાલ થાય છે કે, ક્યાં સુધી આવી કંપનીઓ લોકોનો લેતી રહેશે ભોગ? કેમ વારંવાર ગેસ ગળતરની ઘટનાઓ બની રહી છે? કર્મચારીઓનો જીવ જશે તો તેનું જવાબદાર કોણ હશે? કર્મચારીઓએ આંખોની રોશની ગુમાવી તો જવાબદાર કોણ? શું કંપનીમાં આવી દુર્ઘટનાથી બચવાના કોઈ સાધન નથી? કેમ પાનોલી કંપનીમાં વારંવાર ઘટી રહી છે દુર્ઘટના? શું કંપનીના માલીકો માટે કર્મચારીના જીવનની કોઈ કિંમત નથી? ક્યારે તંત્ર આવી કંપનીઓ સામે કાર્યવાહી કરશે..?