આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફરી એકવાર ગેસ લિકેજની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલ 4 લોકોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અફરાતફરી મચી જવા પામી હતી.
રિપોર્ટ અનુસાર ગેસ લિક થવાની આ ઘટના પરવડા સ્થિત જવાહરલાલ નહેરુ ફાર્મા સિટીમાં બની છે. 29 જૂનના મોડી રાત્રે બેનઝી મેડિઝોલ નામનો ઝેરી ગેસ સેનોર લાઇફ સાયન્સિસ પ્રા.લિ. નામની કંપનીમાંથી બહાર લીક થયો હતો. કંપનીમાં કામ કરતા 6 લોકો આની ઝપેટમાં આવ્યા. તેમાંથી 2 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે 4 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. થોડા દિવસો પહેલા વિશાખાપટ્ટનમમાં રાત્રે જ ગેસ લિકેજ થયાની ઘટના સામે આવી હતી.
आंध्र प्रदेश: विशाखापत्तनम में सैनॉर लाइफ साइंसेज प्राइवेट लिमिटेड में गैस के रिसाव से 2 कर्मचारियों की मौत, 4 अस्पताल में भर्ती। अधिक जानकारी का इंतजार है।
ઘટનાને પગલે પોલીસ કાફલા સહિત એક્સપર્ટની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમજ તેમણે તેના પર કાબુ મેળવવાની કામગીરી શરુ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ વિશાખાપટ્ટનમમાં 7 મેના રોજ એલજી પોલીમર નામની એક કંપનીમાંથી ઝેરી ગેસ લીક થયો હતો. રાતના 3 વાગે લીક થયેલા આ ગેસને કારણે લગભગ 12 લોકોના મોત થયા હતા. જ્યારે 200થી વધારે લોકોને અસર થતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.