હિન્દૂ ધાર્મિક માન્યતાઓમાં ગાયને સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે.
આ વસ્તુઓ માનવામાં આવે છે શુભ
રસ્તામાં દેખાય તો દિવસ જશે સારો
જાણો તેના વિશે
ગરૂડ પુરાણને હિન્દૂ ધર્મમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દૂ ધર્મની માન્યતાઓમાં કોઈના મોત બાદ ગરૂડ પુરાણનો પાઠ કરાવામાં આવે છે. માન્યતા છે કે તેના પાઠથી મૃત્યુપામનારને સ્વર્ગ મળે છે. પરંતુ તેના શિવાય પણ ઘણી ખાસ વાતો ગરૂડ પુરાણમાં જણાવવામાં આવી છે. સાથે જ તેમાં શગુન-અપશગુનની વાતો પણ જણાવવામાં આવી છે. ગરૂડ પુરાણ અનુસાર દિવસભરમાં એવી વસ્તુઓ છે જેને જોવાથી તમારો ખરાબ સમય સારો થઈ જશે.
ગાય
હિન્દૂ ધાર્મિક માન્યતાઓમાં ગાયને સૌથી પવિત્ર પશુ માનવામાં આવે છે. તેની ઉત્પત્તિ સમુદ્ર મંથન વખતે થઈ હતી. જો સવારે અથવા દિવસમાં ગમે ત્યારે ગાયના દર્શન થાય તો ખરાબ સમય જલ્દી જ પુરો થઈ જાય છે. એવામાં જ્યારે પણ ગાયના દર્શન થાય છે તો મનમાં જ તેને નમન કરો.
ગૌમૂત્ર
હિન્દૂ ધર્મમાં ગૌમૂત્ર શૂભ માનવામાં આવે છે. માટે તેનો ઉપયોગ પૂજા-પાઠમાં અથવા બીજા શુભ કામોમાં કરવામાં આવે છે. માટે ગૌમૂત્રના દર્શન કરવા શુભ માનવામાં આવે છે.
પાક
ગરૂડ પુરાણ અનુસાર રસ્તામાં ખેતરમાં લણવા લાયક પાકના દર્શન પણ શુભ માનવામાં આવે છે. તેને જોવાથી પુણ્યની સાથે સાથે લાભ પણ થાય છે.