હિન્દુ ધર્મમાં ગરૂડ પુરાણનુ ઘણુ ધાર્મિક મહત્વ છે. જેને સનાતન ધર્મના 18 મહાપુરાણોમાંથી એક માનવામાં આવે છે. આ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરુડ વચ્ચેની વાતચીતનુ વર્ણન છે. જેમાં જીવન અને મૃત્યુ સાથે જોડાયેલા અનેક રહસ્યોનો ખુલાસો કરવામાં આવ્યો છે.
ગરુડ પુરાણની આ વાતનો કરો અમલ
તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં
ગરુડ પુરાણમાં અનેક રહસ્યોનો કરાયો છે ખુલાસો
તો માણસને સફળ થતા કોઈ રોકી શકતુ નથી
આમ તો હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણને ત્યારે વાંચવામાં આવે છે, જ્યારે કોઈનુ મૃત્યુ થાય છે, પરંતુ તેમાં માનવ જીવનને લઇને ઘણી બધી વાતો કહેવામાં આવી છે. આ વાતો પર જો અમલ કરવામાં આવે તો તે માણસને સફળ થતા કોઈ રોકી શકતુ નથી.
પહેલાના જન્મોના પાપ બળી જાય છે
સનાતન ધર્મમાં એકાદશી વ્રતને ઘણુ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. ગરૂડ પુરાણ મુજબ, જે માણસ પૂરી વિધિપૂર્વક એકાદશીનુ વ્રત કરે છે તો તેને પહેલાના જન્મોના પાપમાંથી મુક્તિ મળે છે, આ સાથે સફળતા પ્રાપ્ત કરવા માટે મદદ પણ મળે છે.
તુલસીના પાનનુ સેવન કરો
હિન્દુ ધર્મમાં તુલસીને શુભ છોડ માનવામાં આવ્યો છે. જેમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ પણ રહેલા હોય છે. એવામાં દરરોજ સવારે ઉઠીને તુલસીના પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરો, પછી આ પાનનુ સેવન કરો. જેનાથી માણસ શારીરીક અને માનસિક રીતે સ્વસ્થ રહે છે, જે સફળતા અપાવવા માટે અત્યંત જરૂરી છે.
માણસે સ્વચ્છતાનુ ધ્યાન રાખવુ જોઈએ
ગરૂડ પુરાણ મુજબ, માં લક્ષ્મીને સાફ-સફાઈ વધુ પસંદ છે. એવામાં માણસે જીવનમાં સ્વચ્છતાનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. દરરોજ સ્નાન કરો અને ત્યારબાદ સ્વચ્છ કપડા પહેરો. જ્યાં ગંદકી છે ત્યાં માં લક્ષ્મી વાસ કરતી નથી.
નવા કાર્યને સકારાત્મક વિચારધારાની સાથે શરૂ કરવુ
ગરૂડ પુરાણ મુજબ, કોઈ પણ નવા કાર્યને સકારાત્મક વિચારધારાની સાથે શરૂ કરવુ જોઈએ. નકારાત્મક વિચારધારાની સાથે શરૂ કરવામાં આવેલુ કાર્ય અસફળ થવાની આશંકા રહે છે. તો એવા મિત્રો અથવા લોકોથી દૂર રહો જેને તમારી પ્રગતિથી ઝેર આવે છે.