આજે આપણે જાણીએ ગરુડ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવેલી એવી 7 વસ્તુઓ વિશે, જેને જોઈને વ્યક્તિને પુણ્ય મળે છે.
18 મહાપુરાણોમાંથી એક છે ગરૂડ પુરાણ
ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વસ્તુઓ
દર્શન માત્રથી જ મળશે ખૂબ પુણ્ય
ગરુડ મહાપુરાણને 18 મહાપુરાણોમાંથી એક ગણવામાં આવે છે. આમાં જે વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે માત્ર મૃત્યુ અને તેના પછીની આત્માની યાત્રા વિશે જ નથી પરંતુ તેમાં જીવનને સુધારવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે.
કેટલાક એવા કામો વિશે જણાવવામાં આવ્યું છે જેને કરવાથી વ્યક્તિનું વર્તમાન જીવન પણ સુખી રહે છે અને તેને પુણ્ય લાભ પણ મળે છે. આજે આપણે જાણીએ ગરુડ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવેલી એવી 7 વસ્તુઓ વિશે, જેને જોઈને વ્યક્તિને પુણ્ય મળે છે. એટલું જ નહીં આ વસ્તુઓને જોવાથી તેને પોતાના જીવનમાં શુભ ફળ પણ મળે છે.
ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વસ્તુઓ
ગાયનું દૂધ
ગાયને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. ગાયનું દૂધ અમૃત સમાન માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે ગાયનું દૂધ જોવા માત્રથી જ વ્યક્તિને ઘણું બધું પુણ્ય મળે છે.
ગાયની પાછળ ઉડતી ધૂળ
જ્યારે ગાય તેના પંજા વડે જમીનને ખોતરે છે અને તેમાંથી જે ધૂળ નીકળે છે તેને ગૌધૂળી કહે છે. ગાયને આ રીતે જમીન પર પંજા વડે ખોતરતી જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શુભ કાર્ય માટે જતા સમયે જો આ જોવા મળે તો ચોક્કસ સફળતા મળે છે.
ગૌશાળા
ગૌશાળા બનાવવી, ગાયોની સેવા કરવી, ગૌશાળા માટે દાન આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ ગૌશાળા જોવી પણ ખૂબ જ શુભ છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે ગૌશાળા જોવાથી ઘણું પુણ્ય મળે છે.
ગાયના પગના દર્શન
ગાયના પગને તીર્થસ્થાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેથી જ ગાયના ચરણ સ્પર્શ કરવામાં આવે છે. ગાયના પગના દર્શન કરવા ખૂબ જ પૂર્ણ આપે છે.
ગૌમૂત્ર
ગૌમૂત્રનો ઉપયોગ ઘણી દવાઓમાં થાય છે. ગરુડ પુરાણમાં પણ તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ગૌમૂત્રને જોવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.
ગોબર
ગાયના છાણને પણ શુભ માનવામાં આવે છે. તેથી પૂજા અને શુભ કાર્યના સ્થાનને શુદ્ધ કરવા માટે ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે. જો ઘરના દરવાજાની સામે ગાયનું છાણ હોય તો તે સુખ-સમૃદ્ધિની નિશાની છે. સાથે જ ગાયનું છાણ જોવાથી પણ ઘણું પુણ્ય મળે છે.
ખેતી
ખોરાક એ વ્યક્તિના જીવનનો આધાર છે અને વિશ્વની મોટી વસ્તી આ માટે ખેડૂત દ્વારા ઉગાડવામાં આવતા ખોરાક પર નિર્ભર છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે ખેતરમાં પાકેલા પાકને જોવાથી પુણ્ય મળે છે અને મનને શાંતિ મળે છે.