આવતા અને પહેલાના જન્મ અંગે જાણવાની ઉત્સુકતા મોટાભાગના લોકોમાં હોય છે. જેને જાણવાની કેટલીક રીતો ધર્મ-પુરાણોમાં જણાવવામાં આવી છે.
તમે આવતા જન્મમાં પુરૂષ બનશો કે સ્ત્રી?
મહાપુરાણ ગરુડ પુરાણમાં કરવામાં આવ્યો છે ઉલ્લેખ
મૃત્યુ બાદ મળતી સજા અને આવતા જન્મની યોનિ અંગે પણ દર્શાવાયું
ગરુડ પુરાણમાં મનુષ્યના દરેક કર્મના લેખાં-જોખાં
મહાપુરાણ ગરુડ પુરાણની વાત કરીએ તો તેમાં મનુષ્યના દરેક કર્મના લેખાં-જોખાં આપવામાં આવ્યાં છે અને તેનુ પાપ-પુણ્ય પણ નક્કી કરવામાં આવ્યું છે. મૃત્યુ બાદ મળતી સજા અને આવતા જન્મની યોનિ અંગે પણ જણાવવામાં આવ્યું છે.
આવતા જન્મમાં સ્ત્રી બનશે કે પુરૂષ?
સામાન્ય રીતે આવતા જન્મને લઇને લોકોના મનમાં આ જાણવાની જિજ્ઞાસા હોય છે કે તે કઈ યોનિમાં જન્મ લેશે. એટલેકે મનુષ્ય બનશે કે પશુ, કીડા-મકોડા. જો માણસ બનશે તો મહિલા કે પુરૂષના રૂપમાં જન્મ લેશે. આ અંગે ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે.
જો પુરૂષ હંમેશા મહિલાની જેમ વ્યવહાર કરે. એવુ વર્તન કરે કે જે મહિલાઓએ કરવુ જોઈએ તો પુરૂષની આત્મા બીજા જન્મમાં મહિલાના રૂપમાં જન્મ લે છે.
આ જ રીતે મૃત્યુ સમયે મનુષ્યનો મોહ કઈ વસ્તુમાં છે, તે પણ તેના પાપ-પુણ્ય, સ્વર્ગ-નરકની સાથે-સાથે બીજા જન્મની યોનિ પણ નક્કી કરે છે. જો કોઈ પુરૂષનો મૃત્યુ સમયે મહિલામાં મોહ છે તો તે બીજા જન્મમાં મહિલા રૂપે પેદા થાય છે. તેથી ધર્મ-પુરાણોમાં મૃત્યુ સમયે ભગવાનના નામનું સ્મરણ કરવાની સલાહ આપવામાં આવે છે. એટલેકે મનુષ્ય જન્મ-મરણના આ ફેરામાંથી બહાર નિકળી જાય અને તેનો જીવ ભગવાનના ચરણોમાં રહે.
એટલું જ નહીં, જો કોઈ મનુષ્ય પછી તે મહિલા હોય કે પુરૂષ. તે પશુ જેવો વ્યવહાર કરે તો તે બીજા જન્મમાં પ્રાણી તરીકે જન્મ લે છે. પશુ જેવા વ્યવહારનો અર્થ છે, એવી ચીજોનું સેવન કરવુ જે પશુ કરે છે, એટલેકે પશુઓની જેમ આચાર-વ્યવહાર કરવો.