ગરુડ પુરાણમાં માણસના જીવનને લઇને ઘણી બધી વાતો લખવામાં આવી છે. આ વાતોને જીવનમાં ઉતારવામાં આવે તો માણસ સાથે ક્યારેય વિશ્વાસઘાત થાય નહીં. આવા લોકો હંમેશા પ્રગતિની રાહ પર આગળ વધતા રહે છે.
ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલી આ બાબતોનુ રાખજો ખાસ ધ્યાન
માણસ હંમેશા પ્રગતિની રાહ પર આગળ વધતો રહેશે
પૈસાનો ખોટો ઉપયોગ માણસને અમીરમાંથી ગરીબ બનાવશે
ગરુડ પુરાણમાં ધનને લઇને અમુક વાતોનો કરાયો છે ઉલ્લેખ
હિન્દુ ધર્મના બધા 18 મહાપુરાણોમાં ગરુડ પુરાણનુ અલગ મહત્વ છે. જેમાં ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરુડ વચ્ચે વાતચીતનુ વર્ણન છે. આમ તો ગરુડ પુરાણ હિન્દુ ધર્મમાં કોઈની મૃત્યુ થયા બાદ વાંચવામાં આવે છે, પરંતુ તેમાં અમુક વાતો માણસના જીવન સાથે વધુ સંબંધિત છે. આ વાતનુ પાલન કરવાથી માણસ સફળતાના પગથિયે ચઢવા લાગે છે. ગરુડ પુરાણમાં ધનને લઇને પણ અમુક વાતો જણાવવામાં આવી છે. જે મુજબ પૈસાનો ખોટો ઉપયોગ માણસને અમીરમાંથી ગરીબ બનાવી શકે છે.
દાન-ધર્મ
ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કમાવવામાં આવેલા ધનમાંથી અમુક ભાગ દાન, ધર્મમાં ખર્ચ કરવો જોઈએ. ધનનો ઉપયોગ કોઈ જરૂરીયાતમંદ અથવા ગરીબ માટે હોવો જોઈએ. જે માણસ આમ નથી કરતો તેણે નાણાભીડનો સામનો કરવો પડે છે.
મહિલા સુરક્ષા
ગરુડ પુરાણ મુજબ, મહિલાઓને ઘરની લક્ષ્મી માનવામાં આવી છે. એવામાં હંમેશા પૈસાનો ઉપયોગ મહિલાની રક્ષા માટે થવો જોઈએ. જે આમ નથી કરતુ તેનાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને આવા રૂપિયા જલ્દી નષ્ટ થાય છે.
સુખ-સુવિધા
ગરુડ પુરાણ મુજબ, ધનનો હંમેશા સદુપયોગ કરવો જોઈએ. કારણ વગરના પૈસાને બચાવીને રાખવુ વ્યર્થ છે. માણસે પોતાના પરિવારની સુખ-સુવિધા માટે પૈસાનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી સમૃદ્ધીમાં વધારો થાય છે.