તત્કાલીન રેલ મંત્રી લાલૂ પ્રસાદ યાદવે ગરીબોને AC ટ્રેનોમાં સફર કરાવવાનું સપનું સાકાર કરવા માટે વર્ષ 2006માં ગરીબ રથ એક્સપ્રેસની શરૂઆત કરી હતી, પરંતુ હવે વર્તમાન સરકારે ગરીબ રથ ટ્રેનોને મેલ એક્સપ્રેસમાં બદલવા જઇ રહી છે.
ગરીબોનું એસીમાં સફર કરવાનું સપનું સાકાર કરવા માટે ર૦૦૬માં તત્કાલીન રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવ દ્વારા શરૂ કરવામાં આવેલ ગરીબ રથ એકસપ્રેસ ટ્રેનને હવે બંધ કરવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ ટ્રેનને હવે મેલ એકસપ્રેસ ટ્રેનમાં બદલવામાં આવશે.
આ ટ્રેનમાં હવે કોચની સંખ્યા સહિત અનેક ફેરફાર કરવામાં આવશે. અગાઉ આ ટ્રેનમાં ૧ર કોચ (તમામ એસી) હતા જ્યારે નવી ટ્રેનમાં હવે ૧૬ કોચ હશે અને તેમાં જનરલ, સ્લીપર અને એસી કોચ પણ જોડવામાં આવશે.
આ શૃંખલામાં સૌ પહેલાં પૂર્વોત્તર રેલવેમાં ચાલતી કાઠ ગોદામ જમ્મુ અને કાઠ ગોદામ કાનપુર સેન્ટ્રલ ગરીબ રથને ૧૬ જુલાઇથી મેલ એકસપ્રેસ ટ્રેનમાં બદલી નાખવામાં આવી છે. એટલે કે આ રૂટ પર ગરીબ રથની સસ્તી સફર બંધ થઇ ગઇ છે.
ગરીબ રથ ટ્રેનોનું મેલ એકસપ્રેસ ટ્રેનમાં રૂપાંતર કરવા પાછળનું કારણ આ ટ્રેનના કોચનું પ્રોડકશન બંધ થઇ ગયંુ હોવાનું જણાવવામાં આવે છે. હાલ જે કોચ દોડી રહ્યા છે તે તમામ ૧૪ વર્ષ જૂના છે અને તેથી તબક્કાવાર રીતે ગરીબ રથના કોચને હવે મેલ એકસપ્રેસમાં બદલવામાંઆવશે. જેની શરૂઆત પણ થઇ ગઇ છે.
ગરીબ રથ ટ્રેનને મેલ એકસપ્રેસ ટ્રેનમાં બદલવાની સાથે જ ટ્રેેનનું ભાડું વધી જશે અને તેના કારણે ગરીબ રથની સસ્તી સફર બંધ થઇ જશે. જેમ કે હાલ આનંદ વિહાર ટર્મિનલ રેલવે સ્ટેશનથી પટણા જંકશન સુધી ગરીબ રથ ટ્રેનનું ભાડું રૂ.૯૦૦ છે જ્યારે મેલ એકસપ્રેસ થર્ડ એસી કલાસનું ભાડું રૂ.૧૩૦૦ની આસપાસ છે.
આ ટ્રેનનું ભાડું અન્ય ટ્રેનોના એસી કલાસથી ઓછું છે. આ ટ્રેનમાં પ્રત્યેક સીટ કે બર્થ વચ્ચેનું અંતર ઓછું છે અને પ્રત્યેક કોચમાં એસી કોચની તુલનાએ વધુ સીટ અને બર્થ છે. ગરીબ રથમાં બેસવા માટે થ્રી ટાયરમાં ૭૮ સીટ હોય છે અને પ્રવાસીઓએ ખાન પાન અને બેડરોલ માટે અલગથી પેમેન્ટ કરવું પડે છે. એક બેડરોલ માટે રૂ.રપ ચૂકવવા પડે છે જેમાં એક તકિયો, એક બ્લેન્કેટ અને એક ચાદર હોય છે.