આજે સવારે પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને કેબિનેટની બેઠક મળી હતી અને જેમા કૃષિ કાયદાને રદ્દ કરવા તેમજ ગરીબ કલ્યાણ યોજનાને આગામી મહિનાઓ સુધી લંબાવવા ચર્ચા કરવામાં આવી હતી
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને માર્ચ સુધી યથાવત રાખવાનો નિર્ણય: સૂત્ર
અગાઉ આ યોજના નવેમ્બરના અંત સુધી લાગુ કરવામાં આવી હતી
5 રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય
મફતમાં રૅશન આપવા માટે મોદી સરકારે લીધો નિર્ણય
કોરોનાકાળમાં ગરીબોને મફતમાં રૅશન આપવા માટે મોદી સરકારે ચાલુ કરેલ યોજનાને લઈને આજે મોદી કેબિનેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને ફરીથી લંબાવવામાં આવી છે, હિન્દી મીડિયા અહેવાલો અને સૂત્રો અનુસાર આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. નિર્ણય મુદ્દે ટૂંક જ સમયમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર મોટી જાહેરાત કરી શકે છે.
ગરીબ કલ્યાણ યોજનાને લંબાવવા મંજૂરી અપાઈ
નોંધનીય છે કે આજે સવારે પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને કેબિનેટની બેઠક મળી હતી અને જેમા કૃષિ કાયદાને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે સૂત્રો અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે આ બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને આગામી મહિનાઓ સુધી લંબાવવા માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે સત્તાવાર જાહેરાત સરકાર દ્વારા બાદમાં કરવામાં આવે તેવી શક્યતા છે.
કેટલાક નેતાઓ દ્વારા આ યોજનાને ચાલુ જ રાખવા માટે અનુરોધ કર્યો હતો
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં ગરીબોને મફત અનાજ આપવા માટે સરકાર દ્વારા માર્ચ 2020માં નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારથી જ ગરીબોને મફતમાં અનાજ આપવામાં આવે છે. જોકે આઅ યોજના 30 નવેમ્બરે સમાપ્ત થઈ રહી છે. કેટલાક નેતાઓ દ્વારા આ યોજનાને ચાલુ જ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.