કોરોનાના મંડરાતા ખતરા વચ્ચે ગરબા આયોજકોએ સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે મળવાનો સમય માગ્યો
પાર્ટી પ્લોટ એસોસિયેશને CMનો સમય માંગ્યો
અમદાવાદમાં ખૈલેયાઓમાં થનગનાટ
શું મોટા આયોજનો સાથે યોજાઈ શકશે ગરબા?
નવરાત્રી પર આ વખતે કોરોનાનું ગ્રહણ કદાચ નહીં લાગે. સરકાર મંજૂરીની મહોર લગાવી પણ શકે છે.. અને આ માટે ખેલૈયાઓએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે... પરંતુ બિચારા અમદાવાદના ખેલૈયાઓને નિરાશાનો સામનો કરવો પડી શકે છે.. સરકાર મંજૂરી આપે તો પણ ગરબા થાય તેવા કોઈ આણસાર નથી..
ખેલૈયાઓએ પસંદીદા ડિઝાઈનિંગ કપડાં માટે અત્યારથી જ કરાવ્યું બુકિંગ
નવરાત્રી આવી રહી છે અને ખેલૈયાઓ થનગનવા માટે તૈયાર છે સરકારે જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવને આપેલી મંજૂરી બાદ ગુજરાતનો સૌથી મોટો તહેવાર નવરાત્રી ની મંજૂરી મળે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.. જેને પગલે અત્યારથી જ ખેલૈયાઓએ ઝુંમવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે, અત્યારથી જ ગરબા માટેના ક્લાસીસ શરૂ થઈ ગયા છે. તેવામાં ખાસ ટ્રેડિશનલ કપડાં માટે અત્યારથી જ પડાપડી જોવા મળી રહી છે. ખેલૈયાઓ પસંદીદા ડિઝાઈનિંગ કપડાં માટે અત્યારથી જ બુકિંગ પણ કરાવી રહ્યા છે.
આયોજકોને કયો ડર?
અમદાવાદની વાત કરીએ તો જાણીતી ક્લબ રાજપથ અને કર્ણાવતી જેવા ઘણા એવા મોટા પાર્ટી પ્લોટસ આવેલા છે જ્યાં દર નવરાત્રી રંગેચંગે આયોજન થાય છે. પણ છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે ઊભી થયેલી વિષમ પરિસ્થિતિને લીધી બધુ જ ખોરંભે ચડ્યું છે. આયોજકોને પણ મોટો ડર છે કે જો આયોજન કરીએ અને સરકાર કોરોનાના કારણને આગળ ધરી જો બધુ રદ્દ કરે તો આયોજકોના રૂપિયા ડૂબે બીજી તરફ એ પણ વાત છે કે જો સરકાર મંજૂરી આપે પણ માણસોની સંખ્યા લિમિટમાં રાખે તો પણ આયોજન માથે પડે જેથી આ કારણનો પેદા ન થાય તે માટે ગરબા આયોજકોએ સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે મળવાનો સમય માંગ્યો છે. [પોતાની તકલીફો રજૂઆત સ્વરૂપે મુખ્યમંત્રીને કહેવા માંગે છે.
જો કે નવરાત્રીમાં ગરબા થશે કે નહીં અને થશે તો કયા પ્રતિબંધો સાથે થશે તે અંગેનો નિર્ણય સરકાર આગામી સમયમાં કરશે પણ પણ એ વાત તો નક્કી છે કે જો સરકાર પણ મંજૂરી આપે તોય આયોજકો કોરોના કાળમાં કોઈ રિક્સ લેવા તૈયાર નથી આથી મોટા આયોજન થવાની શક્યતા નહિવત છે. શેરી ગરબાની છૂટ મળી શકે છે.