પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરામાં જંગી સભા સંબોધશે. જેને લઈ આજે એરપોર્ટથી આજવા રોડ લેપ્રસી મેદાન સુધી પોલીસે રિહર્સલ કર્યું હતું. પ્રધાનમંત્રીના આગમનને લઈને સભાસ્થળે તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. આ સાથે 3 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો વળી પ્રધાનમંત્રી આવે તે પહેલા ગરબાની રમઝટ પણ જામશે.
પ્રધાનમંત્રી મોદીના કાફલામાં 40થી વધુ વાહનો સામેલ
આવતીકાલે વડોદરામાં પ્રધાનમંત્રી આવી રહ્યા હોઇ અભેદ સુરક્ષા ગોઠવાઈ છે. પ્રધાનમંત્રી મોદીના કાફલામાં 40થી વધુ વાહનો સામેલ છે. જેમાં એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડની ગાડીઓનો પણ સમાવેશ થાય છે. જેને લઈ આજે પોલીસે સંપૂર્ણ રૂટ પર રિહર્સલ કર્યું હતું. PM સભા સ્થળેથી ઓપન જીપમાં બેસી સભા સ્થળે બનાવેલા ડોમમાં હાજર લોકોનું અભિવાદન ઝીલશે.
PM મોદી પ્રથવાર કોઇ સભામાં ડોમમાં મીની રોડ શૉ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસમાં એક ખાસ વાત જોવા મળશે. આપણે સૌએ વડાપ્રધાનના લાખોની જનમેદની વચ્ચે મોટા રોડ શો તો જોયા જ છે. પરંતુ PM મોદી પ્રથવાર કોઇ સભામાં ડોમમાં મીની રોડ શૉ કરે તેવી ઘટના વડોદરામાં બનશે. વડોદરામાં અંદાજિત ત્રણ લાખ લોકોની વચ્ચે વડાપ્રધાનનો 'મિનિ રોડ-શૉ' યોજાશે.
પોલીસે સંપૂર્ણ રૂટ પર રિહર્સલ કર્યું
આવતીકાલે PM મોદી વડોદરામાં જંગી સભા સંબોધશે. જેને લઈ એરપોર્ટથી આજવા રોડ લેપ્રસી મેદાન સુધી પોલીસે આજે રિહર્સલ કર્યું હતું. PM મોદીના કોનવેમાં 40થી વધુ વાહનો સામેલ છે. જેમાં એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડની ગાડીઓ પણ કોનવેમાં સમાવેશ થાય છે.
3 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે વડોદરાની મુલાકાતે હોય તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઑપ અપાઈ ચૂક્યો છે. સભાસ્થળે 3 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ સાથે પ્રધાનમંત્રી આવે તે પહેલા ગરબાની રમઝટ જામશે. લેપ્રસી ગ્રાઉન્ડ ઉપર 9 ડોમ તૈયાર કરાયા તો વિશાળ ડોમમાં 4 હજાર 500 પંખા લગાવાયા છે. આ સાથે ડોમમાં લોકો માટે 80 LED લગાવાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ
વડાપ્રધાન મોદી આજ સાંજે 7:30 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યાર બાદ રાજભવન ખાતે પહોંચશે અને ત્યાં જ તેઓ રાત્રિ રોકાણ કરશે.
બીજા દિવસે સવારના એટલે કે 18 જૂનના રોજ તેઓ પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ મહાકાળી માના મંદિરે જશે. જ્યાં શાસ્ત્રોક્તવિધિ અનુસાર તેઓ પૂજા-અર્ચના કરશે અને મંદિર પર ધ્વજારોહણ કરશે.
પાવાગઢથી PM મોદી વડોદરા જશે. જ્યાં એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી 4 કિલોમીટરનો રોડ શો કરશે.
લેપ્રસી મેદાનમાં વડાપ્રધાન 5 લાખ લોકોની જંગી સભાને સંબોધિત કરશે.
વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે.
21 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
PM આવાસ યોજના હેઠળ 1.4 લાખથી વધુ ઘરોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદીની સુરક્ષા માટે પોલીસ કાફલો ખડેપગે સજ્જ રહેશે
તમને જણાવી દઇએ કે, PM મોદી પાવાગઢની મુલાકાત લઇને વિવિધ કાર્યક્રમમા સામેલ થવાના છે ત્યારે તેઓની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાત નિરિક્ષણ કરીને સમગ્ર સુરક્ષા વ્યવસ્થા ચકાસી હતી. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી સહિતના નેતાઓએ તૈયારીની સમીક્ષા કરી હતી. વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાના બંદોબસ્તમાં 20 IPS કક્ષાના અધિકારી, 15 DCP, 40 ACP, 100 PI, 200 PSI અને 2000 પોલીસકર્મીઓ અને 2000 મહિલા પોલીસકર્મી ઉપસ્થિત રહેશે. તદુપરાંત 10 BDDS, SRPની પાંચ કંપની અને 12 ઘોડેસવાર પોલીસ જવાનો, NSG તથા ચેતક કમાન્ડોની ટીમ, સ્થાનિક SOG અને PCB DCBની ટીમ ખડેપગે તૈનાત રહેશે. 30 રૂટ પર લાગેલા CCTV કેમેરા થકી રાઉન્ડ ધ કલોક મોનિટરિંગ કરાશે. એ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની 8 ટીમો પણ સમગ્ર સભા મંડપમાં તૈનાત રહેશે.
પાવાગઢમાં 3 હજાર સુરક્ષાકર્મીઓ બંદોબસ્ત
PM મોદી આજ રોજ સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યારે આવતીકાલે PM મોદી પાવાગઢ મંદિરે દર્શન કરવા જશે. PM મોદીના આ આગમનને લઇને ચુસ્ત રીતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. PM મોદીના આગમનને લઈને પાવાગઢ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. 3 હજાર સુરક્ષાકર્મીઓ બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે. 2 IG, 7 SP, 23 DySP અને 44 PI બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે. હેલિપેડ, પાવાગઢ ગામ, ડુંગર પ્રવેશ દ્વાર ખાતે SPG કમાન્ડો તૈનાત કરી દેવાયા છે. ઘટનાસ્થળે હેલિકોપ્ટર સહિત કોન્વોય રિહર્સલ કરવામાં આવ્યું.