નવરાત્રીની શરૂઆતથી જ રાજયમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેથી રાજ્યમાં ત્રીજા નોરતે પણ ખેલૈયાઓ ગરબા રમી શકે તેમ નથી ત્યારે લાંબા સમયથી તૈયારીમાં લાગેલા ગરબા આયોજકો ગરબાનું આયોજન કરી શક્યા નથી. આથી ખેલૈયાઓ નિરાશ થયા છે. રૂપિયા ખર્ચીને ગરબા રમવાના પાસ લીધા છે અને ગરબા થઇ શકતા નથી. વડોદરાના ગરબા રસિકોએ માતાજીને પ્રાર્થના કરી હતી કે હવે રાજયમાં વરસાદ ખમૈયા કરે અને મેદાનોમાંથી પાણી સુકાઈ જાય તો જ આગામી દિવસોમાં ગરબાનું આયોજન થઇ શકે તેમ છે. સમા - સાવલી રોડ પર આવેલા એક ગરબા મેદાનમાં ખેલૈયાઓ ભેગા હતાં.