સુરતમાં પોલીસના પરિપત્રનું ઉલ્લંઘન કરતા ગરબા આયોજકોની દાદાગીરી સામે આવી છે. ગરબા આયોજકો દ્વારા ખેલૈયાઓ પાસેથી પાણી ભરેલી બોટલ ગેટની બહાર જ કઢવવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ ગરબા ગ્રાઉન્ડની અંદર જે સ્ટોલ ઉભા કરાયા છે. તેમાં બે થી ત્રણ ગણા પાણીની બોટલના પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે. ખેલૈયાઓ પાસેથી તોડ કરવામાં આવી રહ્યો છે. જે પોલીસના પરિપત્રનું ઉલ્લંઘન છે. કારણ કે, પરિપત્ર પ્રમાણે, કોઈપણ ગરબા આયોજક પાણીની બોટલ ગ્રાઉન્ડમાં લઈ જતા અટકાવી ન શકે. અને પાણીના વધુ પૈસા પણ ન લઈ શકે. પરંતુ સુરતમાં ખુલ્લેઆમ ગરબા આયોજકો દાદાગીરી પર ઉતરી આવ્યા છે. ત્યારે જોવાનું તો એ રહેશે કે, કાયદાની એસીતેસી કરનાર આ ગરબા આયોજકો સામે પોલીસ ક્યારે કડક કાર્યવાહી કરે છે.