કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોના નેતાઓ વચ્ચે અસંતોષનું અંતર વધતું જોવા મળી રહ્યું છે.
ત્રણ કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા કિસાન સંગઠનના નેતાઓ વચ્ચે હવે અવિશ્વાસ વધતો જોવા મળી રહ્યો છે. 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ઉપદ્રવ પછી સંયુક્ત કિસાન મોર્ચાના સાત સભ્યો કોર કમિટિના નેતા લગભગ નેપથ્યમાં ચાલ્યા ગયા છે, જ્યારે રાકેશ ટિકૈતે, જે કોર કમિટીમાં હતા જ નહી, તેમના બે આંસૂઓએ તેમને નાયક બનાવી દીધા. હવે સિંધુ સરહદ અને ટીકરી સરહદ બંને ઘટનાસ્થળો પર હરિયાણાના લોકો જે ટિકૈતના સમર્થક છે પ્રભાવી છે, જ્યારે 26 જાન્યુઆરીથી પહેલા પંજાબના લોકો પ્રભાવી હતા. ગાજીપુર સરહદ પરથી ટિકૈત સમર્થક પ્રમુખ ભુમિકામાં હતા.
ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષે ટિકૈત પર કરી ટિપ્પણી
કોર કમિટીમાં સામેલ હરિયાણામાં સક્રિય ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ ગુરનામ સિંહ ચઢૂનીએ રાકેશ ટિકૈત પર ટિપ્પણી પર કરી નાંખી. જ્યારે તેની વીડિયો ક્લીપ વાયરલ થઇ ત્યારે તેણે વીડિયો ક્લિપને ફેક ગણાવી, પરંતુ ચેહરો તેમનો, અવાજ તેમનો , અંદાજ બતાવાનો તેમનો, આ પ્રમાણિત કરી રહ્યું હતું કે વીડિયોક્લિપ તેમની જ છે.
દૂરિયા નજદીકીમાં બદલાવ નથી થઇ રહી
આ પહેલા દિલ્હીમાં ટ્રેકટર પરેડની પછી તરત પંજાબના કિસાન નેતા બલબીર સિંહ રાજેવાલએ હરિયાણાના આંદોલનકારીઓ પર આરોપ લગાવ્યો હતો કે જાટ આંદોલનની તરફ ખેડૂત આંદોલનને નિષ્ફળ બનાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જો કે રાજેવાલે પણ પોતાના આ નિવદેન દુ-ખ વ્યક્ત રકરું હતુ. પરંતુ તીર કમાનમાંથી અને વાકય જીભમાંથી નિકળી ગયા બાદ તે પરત આવતું નથી. દુઃખ વ્યક્ત કર્યા બાદ રાજેવાલને હરિયાણાના લોકો હવે ગંભીરતાથી લઇ રહ્યાં નથી તો ચઢૂની અને ટિકૈતની વચ્ચે વધી ગયેલું અંતર હવે નજીક થઇ શકતું નથી.
વિશ્વસનીયતાનું સંકટ વધ્યું
એક અન્ય પ્રકરણમાં પણ વિશ્વસનીયતાનું સંકટ વધ્યું. કિસાન સંગઠનોએ નેતાઓએ 26 જાન્યુઆરીની પરેડની પહેલા 25 જાન્યુઆરના રોજ જમ્મૂ-કાશ્મીરના બંને નેતાઓ તનવીર અહમદ ડાર અને ઇમ્તિયાઝ અહમદને 28 જાન્યુઆરી સુધી સિંધુ બોર્ડર પર અલગ-અલગ કર રોક લેવામાં આવી. આ બંને ને સિંધુ બોર્ડરથી ત્યારે મુક્ત કરવામાં આવ્યાં જ્યારે તેઓએ પોતાના પૈતૃક જિલ્લા હંદવાડાથી જમ્મૂ-કાશ્મીર પોલીસથી ચરિત્ર પ્રમાણપત્ર મંગાવીને પેશ ન કર્યું.
અવિશ્વાસ વધવાના મુખ્ય કારણ
કેન્દ્ર સરકાર સાથેની વાતચીત કરવા માટે જે 40 સંગઠનોના નેતા નક્કી કરેવામાં આવ્યા છે તેમાં એક માત્ર પંજાબમાંથી 31 સંગઠન હતા. જેનાથી અન્ય પ્રદેશના નેતા અંદરો-અંદર નાખૂશ હતા, પરંતુ હાજર ન થયા.
ટીકરી બોર્ડર પર ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સહિત કેટલાંક વિવાદીત લોકોના છોડી દેવાના પોસ્ટર લાગ્યા. આ સંબંધમાં જ્યારે ભારતીય કિસાન યૂનિયન (ટિકૈત)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતને પૂછવામાં આવ્યું તો કહ્યું કે આવી માગણી ખેડૂત સંગઠન નથી. જો કે વામપંથી ખેડૂત સંગઠને કહ્યું આ અમારી માંગણીઓમાં 7માં નંબર પર છે।
સિદ્ધુ બોર્ડર પર ભિંડરાવાલેના ફોટા અને ખાલિસ્તાન સમર્થકોને પણ ઘણા ખેડૂત નેતા ક્ષુબ્ધ હતા, પરંતુ તેઓ કાંઇ કહેતા નહોતા.
નરેશ ટિકૈતે કેન્દ્ર સરકાર સાથે યોજાનારી વાતચીતને લઇને બે ત્રણ વામપંથી વિચારધારા નેતાઓ પર નિશાન લગાવ્યું હતું કે વાત નક્કી થઇ જશે, પરંતુ બે ત્રણ નેતા એવા છે જે વાત બગાડી નાંખે છે. આ વાત કેન્દ્રીય કૃષિ મંત્રી પણ કહી ચૂકેયા છે.