વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી પાટોત્સવમાં ભાગ લીધો
આજે આ સ્થાન હવે સામાજિક ચેતનાનું સ્થાન બની ગયું છે : CM
જૂનાગઢના વંથલી તાલુકાના ગાંઠીલા ગામે ઉમિયા માતાજીના 14માં પાટોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી આ પાટોત્સવમાં વર્ચ્યુઅલ હાજરી આપી છે. આ પાટોત્સવ નિમિત્તે PM મોદીએ વર્ચ્યુઅલ સંબોધન આપતા જણાવ્યું કે, 'મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની અપીલ સૌ પાટીદારોએ માનવી જોઈએ. માતાજીના જ આશીર્વાદ છે કે આપણને ગુજરાતનાં વિકાસ માટે યોગદાન કરવાનો મોકો મળ્યો છે. આજે ભગવાન રામચંદ્રજીનો પ્રાગટ્યોત્સવ છે. આજે આ સ્થાન હવે સામાજિક ચેતનાનું સ્થાન બની ગયું છે. હું રૂબરૂ આવ્યો હોત તો મને વધુ આનંદ થાત.'
પાટીદાર પાણીદાર ત્યારે જ બને કે જ્યારે પાણી હોય : PM મોદી
PM મોદીએ વધુુમાં જણાવ્યું કે, 'આપણને મૃદુ અને મક્કમ CM મળ્યા છે ત્યારે આપણે તેમની લાગણીને સાકાર કરીએ, ભૂપેન્દ્રભાઈ આજે ધરતી માતા માટે ભારે જહેમત કરી રહ્યાં છે. પાટીદાર પાણીદાર ત્યારે જ બને કે જ્યારે પાણી હોય, એટલે મા ઉમિયાના સાનિધ્યમાં 75 તળાવોનું અભિયાન શરૂ કરાવો. કોરોના વિશે PM મોદીએ વાત કરતા જણાવ્યું કે, કોરોના બહુરૂપિયા બીમારી છે, ક્યારે ક્યાં ટપકી પડે એ નક્કી નહીં.'
મા ઉમિયાએ આપણને અહિયાં ભેગા કર્યા હોય તેવી અનુભૂતિ : CM ભૂપેન્દ્ર પટેલ
આ પાટોત્સવ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સંબોધન કરતા જણાવ્યું કે, 'મા ઉમિયાએ આપણને અહિયાં ભેગા કર્યા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. 2008માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું અને આજે પણ તેઓ અહીં સંબોધન કરવાના છે.'
આવતીકાલ 10મી એપ્રિલ, 2022ના રોજ રામનવમીના અવસરે, ગુજરાતના જૂનાગઢના શ્રી ઉમાધામ ગાંઠીલા ખાતે 14મા મહા-પાટોત્સવના પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરીશ. એ મારું સદ્ભાગ્ય છે કે આ મંદિરનું ઉદ્ઘાટન 2008માં મારા હસ્તે થયું હતું.
ગઇ કાલે ખુદ વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી કે, 'આવતીકાલ 10મી એપ્રિલ, 2022ના રોજ રામનવમીના અવસરે, ગુજરાતના જૂનાગઢના શ્રી ઉમાધામ ગાંઠીલા ખાતે 14મા મહા-પાટોત્સવના પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરીશ. એ મારું સદ્ભાગ્ય છે કે આ મંદિરનું ઉદ્ઘાટન 2008માં મારા હસ્તે થયું હતું.'
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 10, 2022
પાટોત્સવમાં 51 કુંડી હવન, આરોગ્ય કેમ્પ અને મહિલા સંમેલન સહિત અનેક કાર્યક્રમોનું આયોજન
આ સાથે આ પાટોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મનસુખ માંડવિયા સહિતના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં છે. આપને જણાવી દઈએ કે, ગાંઠીલા ખાતે પાટોત્સવમાં 51 કુંડી હવન, આરોગ્ય કેમ્પ અને મહિલા સંમેલન સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ મંદિરનું ઉદ્ઘાટન 2008માં ખુદ PM મોદીના હસ્તે કરાયું હતું.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 10, 2022
આશરે 50 હજાર લોકો મહાપ્રસાદ લેશે
આ પાટોત્સવમાં 51 કુંડી મહાયજ્ઞનું આયોજન તેમજ આશરે 50 હજાર લોકો મહાપ્રસાદ લેશે. કેશોદ, માણાવદર, વંથલી જેવા નજીકના ગામો-શહેરોમાંથી યુવાનો પદયાત્રા કે બાઇક રેલી કાઢીને ઉમાધામ ગાંઠીલા પહોંચશે. તદુપરાંત આ તકે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે. બપોરે 4 વાગ્યા સુધીમાં સામાજિક સંમેલન બાદ સાંજે દાતાઓનું સન્માન અને રાતે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 10, 2022
કડવા અને લેઉઆ પટેલ હવે એક જ ગણાશે : નરેશ પટેલ
નરેશ પટેલે પણ ગાઠીલા ખાતે ઉમિયા માતાજીના પાટોત્સવમાં હાજરી આપી હતી. જ્યાં નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, માં ઉમિયા ખોડલ એટલે કડવા પટેલ અને લેઉવા પટેલ. કડવા અને લેઉઆ પટેલ હવે એક જ ગણાશે. કડવા-લેઉઆ પાટીદારે હવેથી એક થવાનો નિર્ણય કરેલ છે. જો કે, નરેશ પટેલે આ પ્રસંગે કોઇ પણ પ્રકારની રાજકીય પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.