રાજ્યમાં છેલ્લા 10 દિવસની ભક્તિ કર્યા બાદ આજે લાખો શ્રદ્ધાળુઓ દૂંદાળા દેવને વિદાય આપશે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાના માર્ગો 'બાપ્પા મોરિયા'ના નાદથી ગૂંજી ઉઠશે. શહેરના માર્ગો પર ડીજે અને નગારાના તાલ સાથે ભક્તોનો જોશ જોવા મળશે.
10 દિવસની ભક્તિ બાદ વિધ્નહર્તાની અશ્રુભીની વિદાય
શહેરોના માર્ગો ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગૂંજી ઉઠશે
માર્ગ પર ડીજે અને નગારાના તાલ સાથે ભક્તોનો જોશ જોવા મળશે
અમદાવાદ વિધ્નહર્તાની અશ્રૂભિની વિદાય
શહેરમાં વિઘ્નહર્તાની આજે રંગેચંગે વિદાય કરવામાં આવશે. જેમાં હજારો ગણેશ પંડાલોમાંથી આજે દૂંદાળા દેવની વિદાય કરવામાં આવશે. ડીજે અને નગારાના તાલ સાથે નાચતા ગાતા ભક્તો ગણેશજીને વિદાય આપશે.
શહેરના માર્ગો પણ આજે 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદથી ગૂંજી ઉઠશે. જ્યારે બીજી તરફ ગણેશ વિસર્જનને પગલે તંત્રએ પણ ખાસ વ્યવસ્થા કરી છે. જો કે ગણેશ વિસર્જનને પગલે શહેરના અનેક રૂટ બંધ રાખવામાં આવશે. બપોરે 2 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી રૂટ બંધ રહેશે.
સુરતમાં ગણેશ વિસર્જનને લઈને ચુસ્ત બંદોબસ્ત
સુરત શહેરમાં ગણેશ વિસર્જનને લઇને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 2 સંયુક્ત પોલીસ કમિશ્નર તહેનાત રહેશે. જ્યારે એક એડિશનલ સીપી, 14 ડીસીપીનો ચાંપતો બંદોબસ્ત રહેશે.
શહેરમાં ગણપતિ વિસર્જનને લઇને 23 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યાં છે. જ્યારે એક અંદાજ મુજબ શહેરમાં 50 હજાર જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. શહેરમાં ગણપતિ વિસર્જનને લઇને ભક્તોમાં અનેરો જોશ જોવા મળી રહ્યો છે.
વડોદરામાં આજે ભગવાન ગણેશનું વિસર્જન થશે
શહેરમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ગણેશ વિસર્જનને લઇને રોડ પર ભકતો જોવા મળશે. જેમાં આગામી વર્ષે વહેલા આવવાના વચન સાથે ભક્તો દૂંદાળા દેવને વિદાય આપશે. ગણેશ વિસર્જનને લઇને શહેરમાં કુદરતી તળાવ ઉપરાંત 5 કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યાં છે. જેને લઇને તળાવો પર પુરતી વ્યવસ્થા સાથે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેમાં 4 હજાર જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડે પગે રહેશે. જ્યારે રૂટ પર 750 જેટલા CCTV કેમેરા સુપર વિઝન કરશે.
રાજકોટમાં મહાઆરતી બાદ વિસર્જન યાત્રા નિકળશે
શહેરમાં આજે ભક્તો 10 દિવસની ભક્તિબાદ ગણપતિ વિસર્જન કરશે. જેને લઇને રાજકોટમાં મનપા દ્વારા 5 જગ્યા વિસર્જન માટે નક્કી કરવામાં આવી છે. જેમાં મહાઆરતી બાદ શહેરમાં વિસર્જન યાત્રા નિકળશે. શહેરમાં આજી ડેમ ખાણ 1 અને 2 ખાતે ગણપતિ વિસર્જન કરી શકાશે.
જ્યારે વાગુદળ પાટિયા પાસે તેમજ હનુમાન ધારા પાસે વિસર્જન થશે. શહેરમાં ડી. જે.ના તાલે શહેરીજનો ગણપતિની શોભાયાત્રા કાઢશે. જેમાં શહેરીજનો ભાવભર્યા હૈયે વહેતા જળમાં ગણપતિનું વિસર્જન કરશે. જ્યારે ક્રેઇન અને ફાયર બ્રિગેડના 100થી વધુ જવાનો તૈનાત રહશે. તેમજ કોઇ અનિચ્છનીય ઘટના ન બન તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળશે.