સરકારે કરેલા ગણોત ધારામાં સુધારાને લઇને વિરોધના સૂર ઉઠ્યા છે. બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકે તે નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સરકારે કરેલા ગણોત ધારામાં સુધારાનો વિરોધ
બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકે તે નિર્ણયનો વિરોધ
ખેડૂત ન હોય તેવા લોકો ખેતીની જમીન ખરીદી શકશે
સરકારે કરેલા ગણોત ધારામાં સુધારાને લઇને વિરોધના સૂર ઉઠ્યા છે. બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકે તે નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂત ન હોય તેવા લોકો ખેતીની જમીન ખરીદી શકશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગણોત ધારામાં સુધારો કર્યો છે. મુખ્યમંત્રીની જાહેરાત સામે ખેડૂતો નારાજ થયા છે. મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતો વિરોધ નોંધાવશે. બિલ્ડરો, જમીન માફિયાઓને ફાયદો કરાવવાનો આરોપ લગાવ્યો છે.
રાજ્યમાં જમીન ખરીદી અંગે ગણોત કાયદાઓમાં ધરખમ ફેરફાર થયા છે. મહેસૂલી કાયદાઓની જોગવાઈઓમાં રાજ્ય સરકારે સુધારા કર્યા છે. રાજ્યમાં ઔદ્યોગિક મૂડી રોકાણો આકર્ષિત કરવા સુધારા કરવામાં આવ્યાં છે.
શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા કલેક્ટરની મંજૂરી ફરજિયાત નથી. કૃષિ-પશુપાલન યુનિવર્સિટી, મેડીકલ કોલેજ માટે ખેતી જમીન લઈ શકાશે. ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુ માટે જમીનની પૂર્વ મંજૂરી જરૂરી નથી. કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે વિકાસની તકો વધારવા આ નિર્ણય કરવામાં આવ્યો છે. જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં કલેકટરને જાણ કરવી પડશે
બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝની જેમ પ્રમાણપત્રો મેળવવા પડશે
બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝની જેમ પ્રમાણપત્રો મેળવવા પડશે. અને આ સર્ટિફિકેટ બાદ નિયત સમયમાં પ્રોજેકટની કામગીરી શરૂ કરી શકાશે. અગાઉ ખેતી જમીન ખરીદવા કલેકટરની મંજૂરી ફરજિયાત હતી. બિન ખેડૂત સંસ્થા કે વ્યક્તિઓએ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવુ પડતું હતું. ટાઇટલ કલીયરન્સ, ઇન્સપેકશન સહિતની પરવાનગી માટે વિલંબ થતો હતો.
જંત્રીની 10 ટકા કિંમત-પ્રિમીયમ ભરીને તબદીલ થઇ શકશે
આ વ્યવહારમાં જંત્રીની 10 ટકા કિંમત-પ્રિમીયમ ભરીને તબદીલ થઇ શકશે. દેવા વસુલી, NCLT, લીકવીડેટર, હરાજી હુકમના 60 દિવસમાં જંત્રી ભરી શકાશે. જંત્રીના ફકત 10 ટકા પ્રિમીયમ 60 દિવસમાં ભરવાનું રહેશે.