દક્ષિણ બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થી શિબિરોમાં ગુનાહિત સશસ્ત્ર જૂથ વચ્ચે થયેલ ગેંગ વોરમાં હજારો લોકોને ભાગવા પર મજબૂર કરી દીધા છે. જેમાં ઓછામાં ઓછા 8 લોકોના મૃત્યું થયા છે. પોલીસ અને માનવતાવાદી કાર્યકર્તાઓએ ગુરુવારના રોજ આ અંગેની જાણકારી આપી છે.
અધિકારીઓએ ફાયરિંગ, આગના બનાવ અને અપહરણની ઘટનાઓ પછી 12 લોકોની ધરપકડ કરી છે. વર્ચસ્વની લડાઇમાં ચાલતા આ જૂથઆ આ અથડામણ જોવા મળી. જ્યાં આ ઘટના ઘટી છે તે દુનિયાનું સૌથી મોટું શરણાર્થી શિબિર છે જ્યાં 1 લાખથી વધારે લોકો રહે છે.
સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા મુજબ કૉક્સ બજારની પાસે શહેરમાં તહેનાત વધારાની પોલીસ અધીક્ષક રફીકૂલ ઇસ્લામે ફોન પર બતાવ્યું કે ત્યાં તણાવપૂર્ણ સ્થિતિ હજી પણ છે. તેણે જણાવ્યું કે બે જૂથ વર્ચસ્વ માટે લડી રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે માનવ તસ્કકરી અને ડ્રગ્સ તસ્કરી સાથે જોડાયેલા હોય. આ વિસ્તાર ડ્રગ્સની તસ્કરી માટે જાણીતો છે જે મ્યાંમારથી નજીક આવેલો છે.
માનવાધિકાર જૂથનું કહેવું છે કે આ પ્રકારની ઘટનામાં 2018થી લઇને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 100થી વધારે રોહિંગ્યા લોકોના જીવ ગયા છે. માનવાધિકારી સમૂહે આ ઘટનાઓ પાછળ વધારાના જ્યૂડિશિયલ કિલિંગનો પણ આરોપ લગાવ્યો છે. પરંતુ પોલીસે જણાવ્યું છે કે શંકાસ્પદ ડ્રગ્સ તસ્કરો સાથેના એન્કાઉન્ટર દરમિયાન ક્રોસ ફાયરિંગની વચ્ચે આવવાથી આવા લોકોના મૃત્યું થયાં છે.