સૌરવ ગાંગુલીએ આ મુદ્દે ખુલીને કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે માત્ર એટલું જ કહ્યું કે, કોઈ નિવેદન નહીં, કોઈ પ્રેસ કોન્ફરન્સ નહીં,અમે તેને જોઈ લઈશું.
સૌરવ ગાંગુલીએ આ મુદ્દે ખુલીને કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
બુધવારે કેપ્ટનશીપને લઈને વિરાટ કોહલી પ્રેસ કોન્ફરન્સ કરી હતી
આ મામલે BCCIએ પણ કોઈ પણ પ્રકાર કાઉન્ટર સ્ટેટમેન્ટ આપવાનું ટાળ્યું હતું.
Ganguly refuses to comment on Kohli's captaincy claim, says 'BCCI will deal with it'
ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં કેપ્ટનશીપને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે
ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક દિવસોથી વિરાટ કોહલીની કેપ્ટનશીપને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ આરોપો પછી પત્રકારોએ ગુરુવારે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી પાસેથી તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ગાંગુલીએ આ મુદ્દે ખુલીને કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. તેણે સરળ રીતે કહ્યું, "કોઈ નિવેદન નહીં, કોઈ પ્રેસ કોન્ફરન્સ નહીં. અમે તેને જોઈ લઈશું , આને BCCI પર છોડી દે, ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટે આ પહેલા બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને BCCI પર અનેક આરોપો લગાવ્યા હતા.
BCCI ગુપ્ત રણનીતિ પર કામ કરી રહ્યું છે
સુત્રોના જણાવ્યા અનુસાર એક તરફ વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયા સામે પોતાનો ગુસ્સો કાઢ્યો, પરંતુ એવું લાગી રહ્યું છે કે BCCI આ મામલે ગુપ્ત રણનીતિ હેઠળ કામ કરી રહ્યું છે. બુધવારે સાંજે જ એવી ચર્ચા હતી કે BCCIએ સિનિયર સિલેક્શન કમિટીના અધ્યક્ષ ચેતન શર્માને કોહલીની વિસ્ફોટક પ્રેસ કોન્ફરન્સ પછી મીડિયાને સંબોધિત કરવા કહ્યું હતું, પરંતુ બોર્ડે આખરે કોઈ પણ કાઉન્ટર સ્ટેટમેન્ટ આપવાનું ટાળ્યું હતું.
બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ કહ્યું, "મેં BCCIને કહ્યું કે હું T20 ની કેપ્ટન્સી છોડવા માંગુ છું, જ્યારે મેં આ કર્યું, ત્યારે બોર્ડે મારી વાતને ખૂબ સારી રીતે સ્વીકારી. તેમનામાં કોઈ ખચકાટ ન હતો. બોર્ડે મને કહ્યું આ એક સારો નિર્ણય છે. મે તે જ વખતે બોર્ડને કહ્યું હતું કે, વનડે અને ટેસ્ટમાં ટીમનું નેૃત્વ કરવા માંગુ છું. મારા તરફથી સંદેશ સ્પષ્ટ હતો, પરંતુ મેં અધિકારીઓને પણ કહ્યું કે તેઓ એવું ન વિચારે તો પણ વાંધો નહીં. હું ટેસ્ટ અને ODI કેપ્ટન તરીકે ચાલુ રાખવા માંગતો હતો, પરંતુ ટેસ્ટ ટીમની પસંદગી દરમિયાન મુખ્ય પસંદગીકારે તેમને કહ્યું કે ODI કેપ્ટનશિપ પાછી લેવામાં આવી રહી છે.
કેપ્ટનશિપ વિવાદ પર ગાંગુલીએ શું કહ્યું?
જ્યારે કેપ્ટનશિપને લઈને વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ કેટલાક નિવેદન આપ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે,"મેં પોતે વિરાટ કોહલીને કહ્યું હતું કે તેણે T20ની કેપ્ટનશીપ ન છોડવી જોઈએ.પરંતુ કામના ભારણને કારણે તે આવું કરવા માંગતો હતો, તેમાં કંઈ ખોટું નથી, તે ભારતીય ટીમનો સૌથી મોટો ખેલાડી છે. લાંબા સમય પછી, BCCI અને પસંદગીકારોએ નિર્ણય લીધો હતો કે સફેદ બોલ ક્રિકેટમાં એક જ કેપ્ટન હોવો જોઈએ, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિરાટ માટે આગળનો રસ્તો મુશ્કેલ બની શકે છે
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અને BCCI વચ્ચે કેપ્ટનશિપને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. શરૂઆતમાં આ વિવાદને રોહિત શર્મા અને વિરાટ વચ્ચેના અણબનાવ તરીકે જોવામાં આવી રહ્યો હતો. બાદમાં વિરાટે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં રોહિત સાથે કોઈપણ વિવાદનો ઈન્કાર કર્યો હતો. જો કે, તેણે BCCI પર આક્ષેપો કર્યા હતા. વિરાટે ખુલ્લેઆમ BCCI વિશે એટલું બધું કહ્યું છે કે તેનો આગળનો રસ્તો ઘણો મુશ્કેલ બની શકે છે.