સંજય લીલા ભણસાલીની આલિયા ભટ્ટ સાથેની ફિલ્મ ગંગૂબાઇ કાઠીયાવાડીનું શૂટિંગ કરી રહ્યાં છે ત્યારે તેનું શૂટિંગ પત્યુ નથી અને આ ફિલ્મ વિવાદોમાં ઘેરાતી દેખાઇ રહી છે. ફિલ્મને લઇને સંજય લીલા ભણસાલી વિરુદ્ધ કેસ થયો છે. સંજય લીલા ભણસાલી સિવાય લેખક હુસૈન જૈદી અને જેન બોર્ગિસ તેમજ ભણસાલી પ્રોડક્શન્સ વિરુદ્ધ કેસ નોંધાયો છે.
ગંગૂબાઇ કાઠિયાવાડી વિવાદમાં
સંજય લીલા ભણસાલી પર થયો કેસ
ભણસાલી પ્રોડક્શન પર પણ કેસ
લૉકડાઉનના કારણે આ ફિલ્મની શૂટિંગ બંધ થઇ ગઇ હતી. જે બાદ તે હવે શરૂ થઇ રહી છે. આ ફિલ્મ ગંગૂબાઇ કાઠીયાવાડીના જીવન પર બેઝ્ડ પુસ્તક ધ માફીયા ક્વિન ઓફ મુંબઇ પર આધારિત છે. ફિલ્મનું નાઇટ શેડ્યુઅલ પૂર્ણ થઇ ચૂક્યુ છે.
રિપોર્ટ અનુસાર ગંગૂબાઇના દિકરાએ પેજ નંબર 50થી લઇને 69 સુધીના ભાગ પર આપત્તિ જતાવી છે. કહ્યું છે કે આ ઘટનાઓ ખોટી છે. આ પીટીશનમાં બાબૂજીએ આરોપ લગાવ્યો છે કે તેમની પર્સનલ લાઇફમાં હસ્તક્ષેપ કરી રહ્યાં છે.
હવે આલિયા તેની આવનારી ફિલ્મ કે જે એસ એસ રાજામૌલી સાથે છે તેના શૂટિંગ માટે રવાના થઇ છે. તે સિવાય આલિયા અને રણબીર કપૂર બંને બ્રમ્હાસ્ત્રમાં સાથે દેખાશે, જેનો દર્શકોને ઇંતઝાર છે.
રણવીરે આપ્યુ નિવેદન
બોલિવૂડમાં રણબિર કપૂર એક મોસ્ટ એલિજેબલ બેચલર છે અને અત્યાર સુધી તેનું નામ ઘણીબધી હિરોઇન સાથે જોડવામાં આવ્યું છે. હવે રણબીર અને આલિયાનો સંબંધ જગ જાહેર થયો છે ત્યારે આલિયાએ તેમના લગ્નને લઇને મૌન તોડ્યુ છે.
પહેલા અનુમાન લગાવવામાં આવતું હતું કે 2020માં કપલ પરણી જશે પરંતુ આલિયા ભટ્ટ લગ્ન કરવા તૈયાર નથી અને તેણે આ વાતને કબૂલી પણ છે.
એક્ટ્રેસે તોડ્યુ મૌન
આલિયા અને રણબીરના લગ્નની વાત જ્યારે ફરી નીકલી ત્યારે આલિયાએ કહ્યું કે તે જલ્દી લગ્ન કરવા નથી માંગતી. હજુ તે નાની છે અને હાલ લગ્ન કરી લેવા ઉતાવળ ગણાશે.
આલિયાએ વધુમાં કહ્યું કે તે માત્ર 25 વર્ષની છે અને ઉતાવળે લગ્ન કરવા હિતાવહ નથી. આલિયા અને રણબીરે નિર્ણય કર્યો હતો કે તે 2020 નહી પરંતુ 2021માં લગ્ન કરશે. કપૂર પરિવારના ફંક્શનમાં પણ તે અવાર નવાર દેખાતી હોય છે. માત્ર આટલું જ નહી આલિયા અને રણબીરના લગ્નના ફેક કાર્ડ સોશ્યલ મિડીયા પર વાયરલ થતા રહેતા હોય છે.