ઉત્તર પ્રદેશના કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા બાદ ફરાર થઇ ગયેલા ગેંગસ્ટર વિકાસ દુબે સરેન્ડર કરી શકે છે. પ્રાપ્ત થયેલ જાણકારી પ્રમાણે વિકાસ દુબે મીડિયા સામે પોતાનું આત્મ સમર્પણ કરશે. નોંધનીય છે કે, વિકાસ દુબેને કોરોના થયો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
કાનપુર હત્યાકાંડનો આરોપી વિકાસ દુબે કરી શકે છે સરેન્ડર
મીડિયા સમક્ષ સરેન્ડર કરી શકે છે
નોઇડા વિસ્તારમાં ગોઠવાયો ચાંપતો બંદોબસ્ત
આ અંગેની સુચના મળતાની સાથે જ પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઇ છે. દિલ્હી એનસીઆર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવમાં આવ્યો છે. આ સાથે જ નોઇડા ફિલ્મ સીટીમાં પણ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
અહેવાલને પગલે પોલીસ કાફલો ગોઠવાયો
આપને જણાવી દઇએ કે, નોઇડા ફિલ્મ સીટી વિસ્તારમાં ઘણા બધા મીડિયા હાઉસ આવેલા છે. વિકાસ દુબે ડ્રામેટિકલી પોલીસની સામે સરેન્ડર કરી શકે છે. ઇનપુટ બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં ફોર્સ તૈનાત કરી દીધી છે અને તમામ હલચલ પર નજર રાખવામાં આવી રહી છે.
કાનપુર કેસમાં પોલીસ અધિકારીઓની પણ કરાઇ ધરપકડ
ઉલ્લેખનીય છે કે, કાનપુર કેસમાં બુધવારે સસ્પેન્ડ કરાયેલા ચૌબેપુરના એસઓ વિનય તિવારી અને બીટ પ્રભારી કે કે શર્માની પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. સસ્પેન્ડ પોલીસ સ્ટેશનના પ્રભારી વિનય તિવારી સહિત 7 લોકોની સાથે હવે પોલીસ કાનપુર દેહાત કોર્ટમાં પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ તેમને વિશેષ ન્યાયાધીશ સમક્ષ રજૂ કરી શકે છે અને રિમાન્ડ પર પણ લઈ શકે છે.