જેલથી નાસી છૂટવાના કેસમાં નિખીલ દોંગાને હાઈકોર્ટમાંથી રાહત મળી છે અને કોર્ટે નિખીલ દોંગાને શરતી જામીન આપ્યા છે.
નિખીલ દોંગાને હાઈકોર્ટથી રાહત
કોર્ટે નિખીલ દોંગાને શરતી જામીન આપ્યા
જેલથી નાસી છૂટવાના કેસમાં શરતી જામીન મળ્યા
હત્યાની કોશિષ સહિતના 14 થી વધુ ગુન્હામાં પોલીસ ચોપડે ચડેલ અને ગુજસીટોકના ગુનામાં જેલની હવા ખાતા નિખીલ દોંગાને હાઈકોર્ટથી રાહત મળી છે. જેલથી નાસી છૂટવાના કેસમાં નિખીલ દોંગાને શરતી જામીન આપવામાં આવ્યા છે. હાલ નિખિલ દોંગા ભુજ જેલ હવાલે સજા કાપી રહ્યો છે. જે દરમિયાન નિખીલએ હાઈકોર્ટેમાં કરેલી અરજીની સુનાવણી થતાં તેને શરતી જામીન મળ્યા છે. નિખીલ દોંગાએ અગાઉ 31 ઓક્ટોબર પહેલા જેલમાંથી છૂટવાની પણ સોશિયલ મીડિયા થકી જાહેરાત કરી હતી.
નિખીલ દોંગા ગેંગ સામે હત્યાની કોશિષ સહીત 117 જેટલા ગુન્હા
રાજકોટ સહીત અન્ય જિલ્લામાં નિખીલ દોંગા ગેંગ સામે હત્યાની કોશિષ સહીત 117 જેટલા ગુન્હા નોંધાયા છે. ત્યાંરબાદ પોલીસ દ્વારા કુખ્યાત નિખીલ દોગા સામે ગુજસીટોક કાયદાનું હથિયાર ઉગામી ગોંડલ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યાં નિખિલ દોંગાએ આખા જેલ પ્રશાસનને રૂપિયાના પાવરથી કાબૂમાં કરી લીધું હતું અને જેલમાં પણ તે જલસાની ઝીંદગી જીવતો હતો. જે અંગે જિલ્લા પોલીસ વડાને જાણ થતાં નિખીલને ભુજની પલારા જેલમાં મોકલ્યો હતો. જ્યાં નિખિલની કારી ન ફાવતા તેણે બીમારીનું કારણ ધરીને ભાગી જવા નાટક રચ્યું હતું. જેથી પોલીસ દ્વારા તેને ભુજ સિવિલમાં ખસેડાયો હતો. આ દરમિયાન પોલસીને હાથતાળી આપી નિખીલ દોંગા રાત્રે ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે તેને નૈનિતાલથી ઝડપી પાડ્યો હતો. આ કેસ ચાલી જતાં હાઈકોર્ટે જેલમાંથી નાસી છૂટવાના કેસમાં નિખીલ દોંગાને શરતી જામીન આપ્યા છે.
સરદાર પટેલ જયંતિ પહેલા નિખીલ દોંગાની તરફેણમા મોટો ચુકાદો
ઉલ્લેખનીય છે કે, ગોંડલના નિખીલ દોંગા યુદ્ધ એજ કલ્યાણ ગૃપના સંયોજક પણ છે. અગાઉ આ ગ્રુપ દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ પાટીદાર સંમેલન યોજાયું હતું. એટલું જ નહિ નિખીલ દોંગાએ ધારાસભ્ય સામે પડકાર ફેંકી સરદાર પટેલ જયંતિએ જેલ બહાર આવવાનું પણ કહ્યું હતું. આવી સ્થિતિ વચ્ચે નિખીલ દોંગાની તરફેણમા આ મોટો ચુકાદો ગણી શકાય છે.