બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:51 PM, 17 April 2025
ભારતીય સુરક્ષા એજન્સીઓને મોટી રાજદ્વારી સફળતા મળી છે. પંજાબમાં થયેલા શ્રેણીબદ્ધ ગ્રેનેડ હુમલાઓ માટે જવાબદાર કુખ્યાત ગેંગસ્ટર હેપ્પી પાસિયાને અમેરિકામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તે હાલમાં ICE કસ્ટડીમાં છે. તેણે પંજાબમાં 14 થી વધુ આતંકવાદી હુમલા કર્યા છે. NIA એ તેના પર 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ભારતીય સુરક્ષા એજન્સીઓને મોટી રાજદ્વારી સફળતા મળી છે. પંજાબમાં થયેલા શ્રેણીબદ્ધ ગ્રેનેડ હુમલાઓ માટે જવાબદાર કુખ્યાત ગેંગસ્ટર હેપ્પી પાસિયાને અમેરિકામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તે હાલમાં ICE કસ્ટડીમાં છે. તેણે પંજાબમાં 14 થી વધુ આતંકવાદી હુમલા કર્યા છે. NIA એ તેના માથા પર 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.
ADVERTISEMENT
ગૈંગસ્ટર પાસિયા પર અનેક આક્ષેપ
હાલમાં જ જલંધરમાં ભાજપ નેતા મનોરંજન કાલિયા પર થયેલા ગ્રેનેડ હુમલામાં ગેંગસ્ટર હેપ્પી પાસિયાનું નામ સામે આવ્યું હતું. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી સહિત તમામ હુમલાખોરોની ધરપકડ કરીને મોટો ખુલાસો કર્યો હતો. આ કેસની તપાસમાં સરહદ પાર પાકિસ્તાન સાથે જોડાયેલું એક મોટું ષડયંત્ર બહાર આવ્યું છે. આ પાછળનો મુખ્ય સૂત્રધાર ઝીશાન અખ્તર છે.
ADVERTISEMENT
IS સાથે પણ હતું કનેક્શન
ઝીશાન કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો છે. તે હાઇ પ્રોફાઇલ બાબા સિદ્દીકી હત્યા કેસમાં પણ વોન્ટેડ છે. પોલીસનું માનવું છે કે, આ હુમલો રાજ્યમાં ધાર્મિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના કાવતરાનો એક ભાગ હતો. જેને ISIનું સમર્થન હતું. આમાં પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંડા અને ગેંગસ્ટર હેપ્પી પાસિયા વચ્ચેનું જોડાણ પ્રકાશમાં આવ્યું છે.
પોલીસ ચોકીઓ પર પણ કરતો હતો હુમલો
જાન્યુઆરીમાં પંજાબના અમૃતસરમાં ગુમટાલા ચોકી પર થયેલા ગ્રેનેડ હુમલા બાદ, ગેંગસ્ટર હેપ્પી પાસિયાએ જવાબદારી લીધી હતી. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે એક પોસ્ટ પણ મૂકી હતી. હેપ્પી પાસિયા બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સંગઠન સાથે સંકળાયેલો છે. પોતાની પોસ્ટમાં, ગેંગસ્ટરે પંજાબમાં આવા જ આતંકવાદી હુમલા કરવાની ચેતવણી આપી હતી.
પોલીસ સ્ટેશન પર કરતો હુમલો
પોલીસથી બદલો લેવા માટે પોલીસ ચોકી પર હુમલા કરવામાં આવ્યા હતા. તેણે પોલીસ પર તેના પરિવારને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેનો દાવો હતો કે, હાલમાં જ પોલીસે તેના બે ભાઈઓને ઉઠાવી લીધા અને નકલી એન્કાઉન્ટરમાં મારી નાખ્યા. તેના પગમાં ગોળી વાગી હતી. તેમાંથી એકનો પગ કાપી નાખવાની ફરજ પડી હતી. હવે તે પ્રતિક્રિયા આપી રહ્યો છે.
અનેક સ્થળે કર્યા હતા હુમલા
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ મહિનામાં પંજાબમાં પોલીસ મથકો, ખાનગી રહેઠાણો, ધાર્મિક સ્થળો અને રાજકીય વ્યક્તિઓને નિશાન બનાવીને 16 ગ્રેનેડ હુમલા થયા છે. આ વિસ્ફોટની પેટર્ન ઓક્ટોબર 2024 ના મધ્યમાં શરૂ થાય છે અને 8 એપ્રિલ, 2025 સુધી ચાલતો રહ્યો છે. આ સરહદી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે.
ગયા વર્ષે પોલીસ ચોકી પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો
આમાંની પહેલી ઘટના 29 નવેમ્બર, 2024 ના રોજ બની હતી, જ્યારે અમૃતસરના ગુરબક્ષ નગરમાં એક પોલીસ ચોકી પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. બરાબર ત્રણ દિવસ પછી, 2 ડિસેમ્બરના રોજ, નવાશહેર (SBS નગર) માં અંસારો પોલીસ ચોકી પર પણ આવો જ હુમલો થયો. આ પછી, 4 ડિસેમ્બરે અમૃતસરના મજીઠા પોલીસ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો.
પોલીસ ચોંકી પર ફેંકાયો હતો ગ્રેનેડ
13 ડિસેમ્બરના રોજ, બટાલાના ઘનિયામાં બાંગર પોલીસ સ્ટેશનમાં બીજો વિસ્ફોટ થયો. 17 ડિસેમ્બરે, અમૃતસરમાં ઇસ્લામાબાદ પોલીસ સ્ટેશન પર હુમલો થયો હતો. 18 ડિસેમ્બરે ગુરદાસપુરમાં બક્ષીવાલ પોલીસ ચેકપોસ્ટ પર વિસ્ફોટ થયો હતો. 20 ડિસેમ્બરે ગુરદાસપુરમાં વડાલા બાંગર પોલીસ ચેકપોસ્ટ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. 2025 માં હુમલાઓ નવા જોશ સાથે ફરી શરૂ થયા.
અનેક સ્થલે વિસ્ફોટ
9 જાન્યુઆરી, 2025 ના રોજ, અમૃતસર શહેરમાં ગુમટાલા પોલીસ ચોકીની બહાર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમય પછી, 15 જાન્યુઆરીના રોજ, અમૃતસરમાં એક ખાનગી નાગરિક, રાજિન્દર કુમારના ઘરની બહાર ગ્રેનેડ વિસ્ફોટ થતાં એક અસામાન્ય ઘટના બની. ૩ ફેબ્રુઆરીના રોજ ફતેહગઢ ચુરિયાન પોલીસ સ્ટેશન પાસે એક મોટો વિસ્ફોટ થયો હતો.
અનેક હિંદુ મંદિરોને બનાવ્યા ટાર્ગેટ
14 ફેબ્રુઆરીના રોજ, ગુરદાસપુરના ડેરા બાબા નાનકમાં એક પોલીસ અધિકારીના નિવાસસ્થાનને નિશાન બનાવીને ઓછી તીવ્રતાનો વિસ્ફોટ કરાયો હતો. 17 ફેબ્રુઆરીના રોજ, ગુરદાસપુરના રાયમલમાં બીજા પોલીસકર્મીના નિવાસસ્થાન પર આવો જ ગ્રેનેડ હુમલો થયો હતો. માર્ચમાં લક્ષ્ય બદલાયું. 15 માર્ચે અમૃતસરના ખંડવાલા વિસ્તારમાં ઠાકુરદ્વારા મંદિરની બહાર વિસ્ફોટ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.