સંયુક્ત રાષ્ટ્રએ ચેતાવણી આપી છે કે ભારત વર્ષ 2050 સુધી 170થી 240 કરોડ શહેરી લોકોને પાણીની ભારી મુશ્કેલી થઈ શકે છે. કારણ કે હિમાલયના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે. ભારત ચીન અને પાકિસ્તાનની ત્રણ પ્રમુખ નદીઓ ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુનું જળસ્તર ખૂબ જ ઝડપથી ઓછુ થઈ જશે. પાણીની મુશ્કેલી થશે.
સંયુક્ત રાષ્ટ્રએ આપી ચેતાવણી
ઝડપથી ઓગળી રહ્યા છે હિમાલયના ગ્લેશિયર
ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુના જળસ્તરમાં થશે ઘટાડો
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંતોનિયો ગુટેરેસે ચેતાવણી આપી છે કે હિમાલયની પ્રમુખ નદીઓ સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રનું જળસ્તર ખૂબ જ ઝડપથી ઘટી રહ્યું છે. વર્ષ 2050 સુધી આ કારણે 170થી 240 કરોડ શહેરના લોકોને પાણી મળવાનું ઓછુ થઈ જશે. તેનું કારણ હિમાલય પર રહેલા ગ્લેશિયરોનું વધતા તાપમાનના કારણે ઓગળવું છે.
ગ્લોબલ વોર્મિંગના લીધે ઓગળી રહ્યો છે બરફ
અંતોનિયોએ કહ્યું કે ધરતી પર ગ્લેશિયર જીવન માટે ખૂબ જ જરૂરી છે. આ સમયે ધરતીના 10 ટકા ભાગ પર ગ્લેશિયર છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે આ ઝડપથી ઓગળી રહ્યું છે.
એન્ટાર્કટિકા વર્ષ 1500 કરોડ ટન બરફ ખોઈ રહ્યું છે. ગ્રીનલેન્ડ 2700 કરોડ ટન બરફ દર વર્ષે ખોઈ રહ્યું છે. આટલું જ નહીં તેના બાદ સૌથી વધારે ગ્લેશિયલ હિમાલય પર છે. જે હવે ઝડપથી ઓગળી રહ્યું છે.
એશિયામાં હિમાયમાંથી આવે છે 10 પ્રમુખ નદીઓ
એશિયામાં હિમાલયમાંથી 10 પ્રમુખ નદીઓ નિકળે છે આ 130 કરોડ લોકો હાલ પાવાનું પાણી સપ્લાય કરે છે.
સૌથી વધારે અસર ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રા નદીના વહેણ અને જળસ્તર પર થશે. તેના ઉપરાંત આ ખતરો પણ છે કે જો ઝડપથી ગ્લેશિયલ ઓગળે તો પાકિસ્તાન અને ચીનમાં પુરની સ્થિતિ ઉભી થઈ શકે છે.
શું થશે જો ગંગા સુકાઈ ગઈ અથવા પાણી ઓછુ થઈ જાય તો?
ગંગા દેશની સૌથી પ્રમુખ અને પવિત્ર નદિઓમાંથી એક છે. તેની લંબાઈ 2500 કિમી છે. તેના પાણીથી ઘણા રાજ્યોમાં લગભગ 40 કરોડ લોકો જીવિત છે. તેને પાણી ગંગોત્રી ગ્લેશિયરમાંથી મળી રહ્યું છે.
પરંતુ આ ગ્લેશિયલ જ ખતરામાં છે. ગયા વર્ષે 87 વર્ષોમાં 30 કિમી લાંબા ગ્લેશિયલથી પોણા બે કિમી ભાગ ઓગળી ચુક્યો છે.
હિમાલય વિસ્તારમાં છે 9575 ગ્લેશિયર
ભારતીય હિમાલય ક્ષેત્રમાં 9575 ગ્લેશિયર છે. જેમાંથી 968 ગ્લેશિયલ ફક્ત ઉત્તરાખંડમાં છે. ગંગા, ધાધરા, મંદાકિની, સરસ્વતી જેવી નદીઓ ભારતના મેદાની વિસ્તારને જીવ આપે છે. જે રીતે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે. તેનાથી આ નદીઓનું જળસ્તર ઓછુ થશે કારણ કે તેમને પાણી આપનાર ગ્લેશિયર ઓગળી રહ્યા છે.
1700 મીટર પાછળ જઈ ચુક્યું છે ગૌમુખ
ગંગોત્રી ગ્લેશિયર પાસે એક ગૌમુખ છે. અહીંથી ગંગા નિકળે છે. દહેરાદૂન સ્થિત વાડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ હિમાલય જિયોલોજીના સાયન્ટિસ્ટ ડૉ. રાકેશ ભામ્બરીએ સ્ટીડી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે 1935થી લઈને 2022 સુધી ગંગોત્રી ગ્લેશિયરના મુખવાળો ભાગ 1700 મીટર ઓગળી ચુક્યો છે.
હિમવર્ષા ઓછી થવી પણ તેનું એક કારણ
હિમવર્ષા ઓછી થવી પણ તેનું એક કારણ છે. ડૉ. રાકેશના જણાવ્યા અનુસાર હવામાન સતત બદલાઈ રહ્યું છે. એ જણાવવું મુશ્કેલ છે કે હિમાલયના વિસ્તારમાં આ વાતાવરણનું શું ક્યાં અને કેટલી અસર પડશે. ગંગોત્રીનું ઓગળવું ખૂબ જ ઝડપી છે. પરંતુ જો એવું પુછવામાં આવે કે તે ક્યાં સુધી ઓગળશે તો તે જણાવવું મુશ્કેલ છે.
ગૌમુખનો ભાગ ખૂબ વધારે અનસ્ટેબલ
કોઈ પણ ગ્લેશિયરના ઓગળવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમકે- જળવાયુ પરિવર્તન, ઓછી હિમવર્ષા, તાપમાનનું વધવું, સતત વરસાદ વગેરે. ગંગોત્રી ગ્લેશિયલના મુખનો ભાગ ખૂબ વધારે અનસ્ટેબર છે. ગ્લેશિયર કોઈ ન કોઈ છેડેથી તો ઓગળશે જ. આ ગ્લેશિયલ મુખથી ઓગળી રહ્યો છે.