ગંગા નદીનું જળસ્તર સંકટના નિશાન સુધી પહોંચવા પર પ્રશાસને એલર્ટ જારી કર્યુ
ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં નદીઓનું જળસ્તર વધી ગયું છે. પહાડી ભાગોને લઈને મેદાન સુધીમાં નદીઓનું જળસ્તર વધવાને કારણે લોકોમાં ભયનો માહોલ છે. ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર સંકટના નિશાન સુધી પહોંચવા પર પ્રશાસને એલર્ટ જારી કર્યુ છે.
પિથૌરાગઢથી લઈને હરિદ્વારા સુધી એલર્ટ જારી
હવામાન વિભાગે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કર્યુ છે. પિથૌરાગઢથી લઈને હરિદ્વારા સુધી એલર્ટ જારી થવા સુધી સપાટી પરના વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. ચમૌલી અને શ્રીનગરમાં અલખનંદા અને મંદાકિની નદીઓનું જળસ્તર વધી ગયું છે. રુદ્રપ્રયાગમાં પણ બે નદીઓ સંકટના માર્કથી ઉપર વહી રહી છે.
Uttarakhand | State control room issues alert on the banks of Ganga river in Rishikesh, following increase in water level in Alakananda river. Earlier in the day, water level also increased in Pithoragarh's Dhauliganga river (18.06)
કિનારાના ગામેમાં વસેલા લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવાનો નિર્દેશ
પિથૌરાગઢ જિલ્લામાં કાળી નદીનાં સ્તરના નિશાન પાસે પહોંચ્યા બાદ અધિકારીઓએ તેના કિનારાના ગામેમાં વસેલા લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવાનો નિર્દેશ આપ્યો છે. જિલ્લાધિકારી આનંદ સ્વરુપે કહ્યું કે નદી 889.60 મીટર પર વહી રહી છે. જ્યારે તેના સંકટનું નિશાન 890 મીટર પર છે.
તમામ સંબંધિત એજન્સીઓને આ અંગે એલર્ટ કરાયા
ધારચૂલાથી ઝૂલાઘાટની વચ્ચે એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓએ નિર્દેશ આપવા ઉપરાંત સીમા સડક સંગઠન અને લોક નિર્માણ વિભાગ સહિત તમામ સંબંધિત એજન્સીઓને આ અંગે એલર્ટ કર્યા છે.