ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. જેતપુરમાં સગીરા પર ગેંગરેપની ફરિયાદ અને કાર્યવાહી કરવા માટે CM રૂપાણી અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની મદદ માંગી છે. સગીરાની પોલીસ ફરિયાદ અને કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. પોલીસ સગીરાની મદદ ન કરી રહી હોવાનો પણ સગીરાએ આક્ષેપ કર્યો છે.
જેતપુરમાં સગીરા ઉપર ગેંગરેપની થયાની ફરિયાદ
સગીરાએ CM અને ગૃહમંત્રીને અરજી કરી કરી ફરિયાદ
5 થી 7 લોકોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
જેતપુરમાં સગીરા પર ગેંગરેપની સગીરાએ ફરિયાદ કરી છે. સગીરાએ CM રૂપાણી અને ગૃહરાજ્યમંત્રીને અરજી કરીને ફરિયાદ કરી છે. આ અરજીમાં સ્થાનિક પોલીસે ફરિયાદ ન લેવાનો આક્ષેપ કરાયો છે. કોન્સ્ટેબલે ધમકાવીને ફરિયાદ ન લીધી હોવાનો સગીરાએ આક્ષેપ કર્યો છે. કોન્સ્ટેબલે સગીરાને ધમકાવીને ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ કરાયો છે.
મળતી માહિતી મુજબ સગીરા પર 7 જેટલા શખ્સોએ દુષ્કર્મ આચર્યો હતો. આ મામલે સગીરા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી હતી. જોકે પોલીસ કોન્સ્ટેબલે મહિલાને અન્ય કેસમાં ફીટ કરી નાખવાની ધમકી આપી હતી. ત્યારે હવે સગીરાએ સીએમ રૂપાણી અને ગૃહરાજ્યમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરી છે.
સળગતા સવાલ
દુષ્કર્મ પીડિતાની કેમ ફરિયાદ લેવાતી નથી?
પોલીસ સ્ટેશનમાં સગીરાની કેમ ફરિયાદ ન લેવાઈ?
દુષ્કર્મ આચરનારા સામે ફરિયાદ કેમ ન કરાઈ?
પોલીસકર્મીઓ પીડિતાને કેમ ધમકાવે છે?
પીડિતાને ધમકાવનાર કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કેમ નહી?
કોન્સ્ટેબલે પીડિતાની ફરિયાદ લેવાની કેમ ના પાડી?
સગીરાની ફરિયાદ લેવા ઉચ્ચ અધિકારીઓ કેમ આગળ ન આવ્યા?