અમદાવાદના ગોતા વિસ્તારના ફ્લેટમાં આગ લાગવાના મામલે પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં પોલીસે આગ લાગેલા 3 મકાન સિવાયના પરિવારને સફાઈ કરવાની મંજૂરી આપી છે. રહીશો પોતાના ઘરની સફાઈ કરવા માટે પહોંચ્યા હતા. જોકે આ ફ્લેટમાં 15 દિવસ માટે ન રહેવા માટેના આદેશ અપાયા છે. જેને લઈને સ્થાનિકો પરેશાન છે. એકાએક બીજા મકાનમાં કેવી રીતે જઉ તેને લઈને રહીશોમાં ચિંતા જોના મળી.