અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન કરવામાં આવશે. 10 દિવસનો ગણેશ ઉત્સવ ગણપતિ બાપ્પાની કૃપા મેળવવાનો સૌથી ઉત્તમ સમય હોય છે. જો કાલે ગણેશ વિસર્જન પહેલા અમુક ખાસ કામ કરીએ તો જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઇ શકે છે.
ગણેશ વિસર્જન પહેલા કરી લો આ ખાસ કામ
ઘરમાં આવશે અપાર સુખ-સમૃદ્ધી
જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઇ જશે
ધન પ્રાપ્તિ અને ગ્રહ દોષમાંથી મુક્તિ મેળવવા કરો આ ઉપાય
આ સાથે ઘરમાં અપાર સુખ-સમૃદ્ધી પણ આવશે. જ્યોતિષ શાસ્ત્રમાં ધન પ્રાપ્તિ, સારું આરોગ્ય, બુદ્ધી, સમૃદ્ધી, ગ્રહ દોષમાંથી મુક્તિ મેળવવા માટેના ઉપાય જણાવવામાં આવ્યાં છે. જો આ ઉપાય ગણેશ ઉત્સવ દરમ્યાન કરો તો અનેક ગણુ વધારે સારું ફળ મળે છે.
ધન પ્રાપ્તિનો ઉપાય
આર્થિક સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે ગણેશજીને ગોળ અને ગાયના ઘામાંથી બનાવેલો પ્રસાદ અર્પણ કરો. જેનાથી ગરીબી દૂર થશે અને ઝડપથી આવક વધશે.
ગમતો જીવનસાથી મેળવવાનો ઉપાય
જો વિવાહમાં અડચણો આવી રહી છે અથવા મનપસંદ પતિ શોધવામાં મુશ્કેલી આવી રહી છે તો ગણપતિને હળદરમાં સિંદૂર મિક્સ કરીને અર્પણ કરો અને ટૂંક સમયમાં લગ્ન કરવાની પ્રાર્થના કરો.
વાણી દોષ દૂર કરવાનો ઉપાય
કુંડળીમાં બુધ નબળો હોવાથી વાણી સંબંધિત સમસ્યાઓ થાય છે. જેમકે તોતડુ બોલવુ, અટકીને બોલવુ, બુદ્ધી ઓછી હોવી, તર્ક શક્તિ ન હોવી વગેરે. જેને દૂર કરવા માટે અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન પહેલા ગણપતિ બાપ્પાને કેળાની માળા બનાવીને ચઢાવો. જેનાથી બુધ ગ્રહ મજબુત થતા શુભ ફળ આપશે.
સુખ-સમૃદ્ધી મેળવવાનો ઉપાય
ગણેશ વિસર્જન પહેલા ગણપતિને ધરો અને મોદકનો પૂર્ણ ભક્તિભાવથી ભોગ ધરાવો. પછી આખુ ઘર મોદકનો પ્રસાદ ગ્રહણ કરો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધી આવે છે.
કામમાં સફળતા મેળવવાનો ઉપાય
વિધ્નહર્તા ગણેશને 4 નારિયેળની માળા બનાવીને અર્પણ કરો. આમ કરવાથી વર્ષો જૂના અટકેલા કામ પણ બનવા માંડશે. આ સાથે દરેક કામમાં સફળતા મળશે.