ગણેશ વિસર્જનને લઇને અમદાવાદ શહેરની સાબરમત્તીમાં દર વર્ષે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે વિસર્જનને લઇને અમદાવાદીઓનું શિસ્ત સામે આવ્યું છે. સાબરમતી નદીમાં એક પણ ગણેશ મૂર્તિનું વિસર્જન કરાયું નથી.
વિસર્જન માટે તંત્રએ શહેરમાં 61 કૃત્રિમ કુંડ બનાવ્યાં હતા
આમ ગણેશ વિસર્જનમાં અમદાવાદીઓનું શિસ્ત સામે આવ્યું છે. સાબરમતી નદીને સ્વચ્છ બનાવવા સરકારની સાથે પ્રજાનો સાથસહકાર જોવા મળ્યો છે. ગઇકાલે ગણેશ વિસર્જન હોય શહેરમાં અલગ-અલગ જગ્યાઓ પર વિસર્જન કુંડ બનાવવામાં આવ્યાં હતાં. જેને લઇને અંદાજે 20 હજારથી વધૂ મૂર્તિઓ રિવરફ્રન્ટના કુંડમાં વિસર્જિત કરવામાં આવી છે.
જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોના પ્રયત્નોને ટેકો આપ્યો છે. જેમાં કોર્પોરેશન દ્વારા પ્રદૂષિત સાબરમતી સ્વચ્છ રાખવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેને અમદાવાદના લોકોએ શિસ્તપૂર્વક પાલન કરેલું જોવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં તંત્ર દ્વારા ગણેશજીના વિસર્જન માટે 61 કૃત્રિમ કુંડ બનાવ્યાં હતા.
આમ અમદાવાદ શહેરીજનો દ્વારા ગણેશ વિસર્જનને લઇને મૂર્તિનું કુંડમાં વિસર્જન કરાયું હતું. જો કે અમદાવાદીઓના આ પ્રયત્નને શહેરના મેયર બિજલ પટેલ અને કમિશનરે ટેકો આપ્યો હતો.
અમદાવાદની સાબરમતી નદીને સ્વચ્છ બનાવવા માટે સરકાર અભિયાન ચલાવી રહી છે. જેમાં સરકારના અભિયાનમાં અમદાવાદીઓ પણ જોડાયા છે. ગણેશ વિસર્જન દરમિયાન લોકોએ નદીમાં નહીં પરંતુ કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કર્યું છે.
જેમાં સાબરમતી નદીમાં એક પણ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું નથી. એક અનુમાન મુજબ 20 હજારથી વધુ મૂર્તિઓ સાબરમતી રિવરફ્રન્ટના કુંડમાં વિસર્જિત કરવામાં આવી છે.
આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાબરમતી સ્વચ્છ રાખવાના પ્રયત્નને શહેરીજનોએ ટેકો આપ્યો છે. આમ મૂર્તિઓતી નદી પ્રદૂષિત ન થાય તેના માટે તંત્રએ ગણપતિની મૂર્તિને વિસર્જન કરવા માટે 61 કૃત્રિમ કુંડ બનાવ્યાં હતા.