સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત દેશમાં જન્માષ્ટમીની સાથે સાથે ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ શરુ થઇ ગઇ છે. પરંતુ ગણેશ સ્થાપન વખતે ઢોલ નગારા અને જે ભક્તિ સાથે બાપાનું સ્થાપન કરવામા આવે છે તે વિસર્જન સમયે બધુ પાણી ઢોળ થતુ હોય છે. ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે તેમ ગણપતિ કચરાના ઢગલામાં પડ્યા હોય છે. ત્યાર રાજકોટની મહિલાએ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે એ પણ ગાયના ગોબર એટલે છાણમાંથી.
આરતી બેન પંડિતની અનોખી પહેલ
B.Com, LLB સુધીનો અભ્યાસ કરનાર આરતી બેન પંડિતે માત્ર ગોબરમાંથી જ ગણપતિની મૂર્તિ બનાવી છે. ત્યારે VTV સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ભાણવડના છે અને ત્યાં મારે ભેંસનો તબેલો હતો ત્યાંથી જ ગૌમૂત્ર અને ગોબરના લાભાલાભની ખબર હતી.
કેવી રીતે બને છે ગોબરના ગણપતિ
8 મહિના પહેલા વિચાર આવ્યો ગોબર માટે અલગ અલગ ગૌ શાળાનો સંપર્ક કર્યો ગોબરનો ભૂક્કો કરી તેને ગણપતિની મૂર્તિના આકારના બીબામાં ઢાળી સૂકવીને મૂર્તિ બનાવી જેમાં સફળતા મળી અને નક્કી કર્યુ કે આ લોકો સુધી પહોચાડવુ. આ વખતથી જ ગોબરની મુર્તિ બનાવાનુ શરુ કર્યુ. લોકો કુદરતી વસ્તુથી દુર રહે છે. પરંતુ ગાયના છાણમાં એટલુ કુદરતી હોય છે કે તેમાંથી ઉર્જા મળતી રહે છે. આરતીબેન થેરાપીસ્ટ પણ છે તે કહે છે હું મારા દર્દીઓને દવાની સલાહ કરતી નથી તેને કુદરતી વસ્તુઓમાંથી જ દર્દ દુર થાય તેવા પ્રયાસ કરુ છુ.
1 ફુટની મુર્તિ બનાવતા લાગે છે 15-20 દિવસ
આરતી બેન કહે છે કે, 1 ફુટની મુર્તિ ગોબરમાંથી બનાવી હોય તો 15-20 દિવસનો સમય લાગે. ગોબર લઇ તેનો ભૂક્કો કરી તેને યોગ્ય બીબામાં ઢાળવામા આવે છે તે સુકાતા 10 દિવસથી વધુ સમય લાગે છે ત્યાર બાદ જ્યા તિરાડ કે કોઇ નાની મોટું ટચિંગ જ કરવાનું હોય છે.
લાખો મૂર્તિઓ નદી અને તળાવ કાંઠે પડી રહે છે
ગોબરમાંથી વિવિધ વસ્તુ બનાવા પાછળ ધણા ફાયદાઓ છે તમે તોરણ કે મુર્તિ બનાવ્યા પછી જ્યારે એમ લાગે નવી વસ્તુ બનાવી છે તો આ વસ્તુનું રિ-સાઇકલ થઇ શકે ખાસ તો હમણા ગણપતિ ઉત્સવમા હજારો લાખો મૂર્તિઓ નદી ને તળાવના કાંઠે પડી રહેશે.
તેના બદલે આવી મુર્તિનુ ધરમા જ કે કુંડામા વિસર્જન કરવાથી તેનુ ખાતર બની જાય અને તે તમે વૃક્ષ વાવવામા ઉપયોગમાં લઇ શકો. લોકોએ પણ ઇકોફ્રેન્ડલી મુર્તિ નુ સ્થાપન કરવાની જરૂર છે જેથી આસ્થા પણ જળવાઇ રહે અને ઘર શરીરમા ઉર્જા પણ મળતી રહે.