ભગવાન ગણેશ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા, જેમના પર ભગવાન ગણેશની કૃપા થઇ જાય તેઓ સંસારની દરેક મુશ્કેલીઓ અને બાઘાઓથી મુક્ત થઇ જતો હોય છે.
શિવ અને પાર્વત્રીનો પુત્ર ગણેશને પ્રસન્ન કરવા માટે અને તેમની પાસેથી ઇચ્છા મુજબની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે સરળ અને ચોક્કસ ઉપાય કરો..
નોકરીમાં ધનના વધારા માટે કરો આ ઉપાય:
તમે નોકરી સ્થળે ખૂબ જ મન લગાવીને વર્ષો સુધી સારૂ કામ કરી રહ્યા હોય તેમ છતાં પગારમાં જો ધાર્યો વધારો ના થતો હોય તો અથવા તો કામ પ્રમાણે વેતન ના મળતુ હોય તો આ ઉપાય ચોક્કસથી કરો. ભગવાન ગણેશ સથે માતા લક્ષ્મીજી પણ પ્રસન્ન થશે. ગણેશ અને લક્ષ્મીજીને ગુલાબનું અત્તર અર્પિત કરો. આ પછી ‘ॐ गं गणपतये नमः’ મંત્રને 108 વખત જાપ કરો. આ ઉપાયનું તમારું કાર્ય સિદ્ઘ ના થાય ત્યાં સુધી દર શુક્રવારે કરતા રહેજો.
ગણપતિ બનાવશે ધનવાન:
માન્યતા અનુસાર, ગણપતિ હોય છે ત્યાં શુભતા અને સંપન્નતા આવે છે. જીવનમાં કોઇપણ પ્રકારના સંકટમાં ગણપતિની કૃપાથી જ દૂર થતા હોય છે. જ્યોતિષ અનુસાર, પૈસાથી જોડાયેલી કોઇ પણ સમસ્યા કે મુશ્કેલી ગણેશજીની કૃપાથી દૂર થઇ શકે છે. આથી ગણપતિ પાસેથી ધનપ્રાપ્તિની વરદાન મેળવવા માટે બુધવારના દિવસે ઉત્તમ પ્રયોગો કરતા રહો.
ખોટો ખર્ચ થતો અટકશે:
ઘણીવખત એવું બનતુ હોય છે કે, ઘરમાં પૈસા તો આવે છે. પરંતુ ટકતા નથી. એવામાં નકામો ખર્ચ રોકવા માટે ગણપતિનો આ ઉપાય કરો. પોતાના ઘરે કે વેપાર કરતા હોય ત્યાં પૂર્વ દિશા તરફ ગણપિતની પીળા રંગની મૂર્તિ સ્થાપિત કરો. ગણપતિની મૂર્તિની પૂજા કરીને દૂર્વા અર્પણ કરો. રોજ સવારે પીળા મોદક ગણપતિને ધરાવો. ‘ॐ हेरम्बाय नमः’ મંત્રનો લાલ ચંદનની માળાથી 108 વખત જાપ કરો. આ ઉપાય 27 દિવસો સુધી સતત કરશો તો ખોટા ખર્ચા થતા અટકશે.
બિમારીમાં ઘન ખર્થ થઇ રહ્યો હોય તો
ઘણા ઘરોમાં એવી સ્થિતિ હોય છે કે કમાય તેટલા પૈસા દવાઓમાં જ વપરાઇ જતા હોય છે. ઘરમાં કોઇ કાયમી રીતે બિમાર રહેતુ હોય તો ગણપિતનો ઉપાય કરી શકો. લાલ રંગના ભગવાન ગણેશજીની સ્થાપના કરો. રોજ સવારે ગણેશજીને 11 લાલ પુષ્પ અર્પિત કરો. આ બાદ ‘ॐ वक्रतुण्डाय हुं।’ મંત્રનો રુદ્રાક્ષની માળાથી 108 વખત જાપ કરો. આ ઉપાય સતત 27 દિવસ કરતા રહો, આમ કરવાથી બિમારી પાછળ થતા ખર્ચા અટકી જશે.