આ તહેવારને મનાવવા પાછળનો ઉદ્દેશ અંગ્રેજો વિરુદ્ધ ભારતીયોને એકજૂથ કરવાનું હતું. આજે જે ગણેશોત્સવને લોકો એટલી ધૂમ ધામથી મનાવે છે, આ પર્વને શરૂ કરવામાં લોકમાન્ય બાલ ગંગાધર તિલકને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
ગણેશ મૂર્તિના વિસર્જનનું બાલ ગંગાધર તિલક સાથે છે ખાસ કનેક્શન
ગણપતિ લોકોની ઇચ્છાઓ સાંભળીને એટલા ગરમ થઇ જાય છે કે ચતુર્દશીએ વિસર્જન કરવામાં આવ્યું છે
ગણપતિ જી ના શરીરનું તાપમાન ના વધે એટલા માટે એમના શરીર પર માટીનો લેપ કરાય છે
ગણેશ ચતુર્થી બાદ દસ દિવસ સુધી સતત ગણેશોત્સવની ધૂમ જોવા મળી રહી છે. હવે નદીઓમાં ગણેશ મૂર્તિનું વિસર્જન શરૂ થઇ ગયું છે. ગણેશ મૂર્તિ વિસર્જનનું ધાર્મિક મહત્વ તો તમે જાણતા જ હશો, પરંતુ શું તમે એના રાષ્ટ્રવાદી ઉદ્દેશથી અજાણ છો? ચલો તો જાણીએ ગણેશોત્સવનું બાળ ગંગાધર તિલકથી શું કનેક્શન છે.
આજથી આશરે 100 વર્ષ પહેલા લોકમાન્ય બાળ ગંગાધર તિલકે જ ગણેશોત્સવનો પાયો મૂક્યો હતો. આ તહેવારને મનાવવા પાછળનો ઉદ્દેશ અંગ્રેજો વિરુદ્ધ ભારતીયોને એકજૂથ કરવાનું હતું. આજે જે ગણેશોત્સવને લોકો એટલી ધૂમ ધામથી મનાવે છે, આ પર્વને શરૂ કરવામાં લોકમાન્ય બાલ ગંગાધર તિલકને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
કેવી રીતે થઇ વિસર્જનની શરૂઆત
1890ના દશકમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તિલક મોટાભાગે ચોપાટી પર દરિયા કિનારે બેસતા હતા અને તેઓ કોઇ વિચારોમાં જ રહેતા હતા. કેવી રીતે લોકોને જોડવામાં આવે. અંગ્રેજો વિરુદ્ધ એકજૂથ બનાવવા માટે એમને ધાર્મિક રસ્તો પસંદ કર્યો. તિલકે વિચાર્યું કે ગણેશોત્સવને ઘરથી નિકાળીને સાર્વજનિક સ્થળ પર મનાવવામાં આવે, કારણ કે એમાં દરેક જાતિના લોકો હાજરી આપી શકે.
ગણેશ મૂર્તિ વિસર્જનની પૌરાણિક કથા
ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રી વેદ વ્યાસે ગણેશ ચતુર્થીથી મહાભારત કથા શ્રી ગણેશને સતત 10 દિવસ સુધી સંભળાઇ હતી. જેને શ્રી ગણેશ જી એ લખી હતી. 10 દિવસ બાદ જ્યારે વેદ વ્યાસ જી એ આંખો ખોલી તો જાણવા મળ્યું કે 10 દિવસની મહેનત બાદ ગણેશ જી નું તાપમાન ખૂબ વધી ગયુ્ં છે. તરત વેદ વ્યાસ જી એ ગણેશ જી ને નજીકના સરોવરમાં લઇ જઇને ઠંડા પાણીથી સ્નાન કરાવ્યું હતું. એટલા માટે ગણેશ સ્થાપના કરીને ચતુર્દશીએ એમને ઠંડા પાડવામાં આવે છે.
આ કથામાં એવું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે શ્રી ગણપતિ જી ના શરીરનું તાપમાન ના વધે એટલા માટે વેદ વ્યાસ જી ને એમના શરીર પર સુગંધિત માટીનો લેપ કર્યો. આ લેપ સૂકાઇ ગયો તો ગણેશ જી ને અકડન આવી ગઇ અને માટી ખરવા લાગી. ત્યારે એમને ઠંડા સરોવરમાં લઇને જઇને પાણીમાં ડૂબાડ્યા. આ વચ્ચે વેદ વ્યાસ જી એ 10 દિવસો સુધી શ્રી ગણેશને મનપસંદ આહાર અર્પિત કર્યા ત્યારથી પ્રતિકાત્મક રૂપથી શ્રી ગણેશ પ્રતિમાની સ્થાપના અને વિસર્જન કરવામાં આવે છે અને 10 દિવસ સુધી એમને ભાવતો આહાર ચઢાવવની પ્રથા છે.
બીજી માન્યતા અનુસાર
ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઇચ્છા પૂર્ણ કરવા ઇચ્છે છે, એ ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે. ગણેશ સ્થાપના બાદથી 10 દિવસ સુધી ભગવાન ગણપતિ લોકોની ઇચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઇ જાય છે કે ચતુર્દશીએ વહેતા પાણીમાં વિસર્જિત કરીને એમને ઠંડા પાડવામાં આવે છે.
ગણપતિ બાપ્પાથી જોડાયેલા મોરિયા નામની પાછળ ગણપતિ જી નું મયૂરેશ્વર સ્વરૂપ માનવામાં આવે છે. ગણેશ પુરાણ અનુસાર સિંધુ નામના દાનવના અત્યાચારથી બચલા માટે દેવગણોએ ગણપતિનું આહ્વાન કર્યું. સિંઘુનો સંહાર કરવા માટે ગણેશ જી એ મયૂરને વાહન તરીકે પસંદ કર્યું અને છે ભૂજાઓનો અવતાર ધારણ કર્યો. આ અવતારની પૂજા ભક્ત ગણપતિ બાપ્પા મારિયાના જયકારા સાથે કરે છે.