ganesh mahotsav 2020 gujarat people st department gift
ખુશખબર /
GSRTC મુસાફરો માટે મોટા સમાચાર, લોકડાઉન બાદ ST દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
Team VTV09:00 AM, 22 Aug 20
| Updated: 11:13 AM, 22 Aug 20
કોરોના વાયરસ મહામારીના કહેર તેમજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પડી રહેલા સાર્વત્રિક વરસાદ વચ્ચે આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ગણેશ પર્વને લઇને રાજ્યની પ્રજાને ST તરફથી ભેંટ આપવામાં આવી છે. રાજ્યમાં આજથી પ્રીમિયમ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગણેશ પર્વને લઈને STની લોકોને ભેટ
લોકડાઉન બાદ આજથી પ્રીમિયમ બસ સેવાનો પ્રારંભ
મુસાફરી કરતા પહેલા યાત્રિકો અને ડ્રાઈવર, કંડકટરનું થર્મલ ચેકીંગ
ગુજરાત સહિત દેશભરમાં આજથી ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના લોકોને ગણેશ પર્વને લઇને ST વિભાગ દ્વારા લોકોને અનોખી ભેટ આપવામાં આવી છે. રાજ્યમાં આજથી પ્રિમિયમ બસો દોડશે.
લોકડાઉન બાદ આજથી રાજ્યભરમાં ફરી એક વખત પ્રીમિયમ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જેમાં પ્રીમિયમ બસ, વોલ્વો બસની સહિત સ્લીપર બસ સેવા પણ શરૂ કરાશે.
ગુજરાત ST વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવામાં 190 બસમાંથી 40 જેટલી પ્રીમિયમ બસ શરૂ કરવામાં આવી છે. જો કે હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસની મહામારીના પગલે બસમાં 60 ટકા પેસેન્જર જ બેસાડી શકાશે. જ્યારે મુસાફરી કરતા પહેલા યાત્રિકો અને ડ્રાઇવર, કંડકટરનું થર્મલ ચેકીંગ કરવામાં આવશે.